ભારતમાં જળવાયુ પરિવર્તન અને વૃક્ષોની સ્થિતિ અંગે ચોંકાવનારા ખુલાસા

વૈશ્વિક યાદીમાં ભારત ઉત્સર્જનના મામલે ત્રીજા ક્રમે છે ભારતનો હિસ્સો ૨.૪૬ બિલિયન મેટ્રિક ટન કાર્બન અથવા કુલ વૈશ્વિક ઉત્સર્જનના ૬.૮% છે ભારતના માથાદીઠ કાર્બન ઉત્સર્જનની વાત કરીએ તો તે  યુનાઇટેડ સ્ટેટ્‌સના વાર્ષિક ૧૬.૨૧ ટનની સરખામણીએ હજુ પણ ૧.૮૪ ટન ઓછું છે.

ભારતમાં પ્રાથમિક વન નુકશાન – ૨૦૦૨થી ૨૦૨૧ સુધીમાં, ભારતે ભેજવાળા પ્રાથમિક જંગલમાંથી ૩૭૧KHA (૯૧૬,૭૬૧ એકર જેટલું) ગુમાવ્યું છે, જે તે જ સમયગાળામાં તેના કુલ વૃક્ષ કવરના નુકસાનના ૧૯% જેટલું છે.

ભારતમાં ટ્રી કવરનું નુકશાન – ૨૦૦૧ થી ૨૦૨૧ સુધીમાં, ભારતે ૨.૦૭ MHA (૪૯ લાખ એકર જેટલું) વૃક્ષ કવર ગુમાવ્યું, જે ૨૦૦૦ થી ટ્રી કવરમાં ૫.૩% ઘટાડાની સમકક્ષ છે. આ સત્તાવાર આંકડા ભારતના જંગલો અને વૃક્ષોના આવરણમાં વધારો થયો હોવાની વાક દર્શાવે છે ૨૦૩૦ સુધીમાં ૧ બિલિયન (૧૦૦ કરોડ) ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવું. તો હવે સવા એ થાય કે આ લક્ષ્ય સુધી પહોંચવામાં વૃક્ષો કેવી રીતે દેશની મદદ કરી શકે. તો તમને જણાવી દઈએ કે, એક વૃક્ષ લગભગ ૦.૨ ટન CO2 ઘટાડશે અને લગભગ છ વૃક્ષો ૧ ટન જેટલો CO2 ઘટાડશે. જો આપણે ૨૦૩૦ સુધીમાં ૧ અબજ કાર્બન ઉત્સર્જન ઘટાડવું હોય તો ૬૦૦ કરોડ વૃક્ષોની જરૂર પડશે. ભારતમાં ૩,૬૦૦ કરોડ વૃક્ષો છે. દરરોજ એક વ્યક્તિ દ્વારા છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડને ટેક અપ કરવા માટે કેટલા વૃક્ષોની જરૂર છે? લગભગ ૧૫ વૃક્ષો જરૂર પડશે જે ૨,૦૦૦-કેલરી ખોરાકના વપરાશથી કાર્બન ડાયોક્સાઇડને સરભર કરે છે.

આ ઉપરાંત લગભગ ૭૩૦ વૃક્ષો દરેક વ્યક્તિના અશ્મિભૂત ઇંધણના વપરાશ માટે છોડવામાં આવતા સરેરાશ કાર્બન ડાયોક્સાઇડને સરભર કરે છે. નેશનલ ફોરેસ્ટ કવરનો આદેશ છે કે ભારતના ભૌગોલિક વિસ્તારનો ૩૩ ટકા ભાગ જંગલ અથવા વૃક્ષોના આવરણ હેઠળ હોવો જોઈએ. દેશનો કુલ જંગલ અને વૃક્ષોથી આચ્છાદિત વિસ્તાર ૮૦.૯ મિલિયન હેક્ટર છે જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ૨૪.૬૨ ટકા છે.

૨૦૧૯ના અંદાજની સરખામણીમાં દેશના કુલ જંગલ અને વૃક્ષોના કવર વિસ્તારમાં ૨,૨૬૧ ચોરસ કિલોમીટરનો વધારો નોંધવામાં આવ્યો છે. તેમાંથી વન આવરણમાં ૧,૫૪૦ ચોરસ કિમી અને વૃક્ષોથી આચ્છાદિત વિસ્તારમાં ૭૨૧ ચોરસ કિમીનો વધારો જોવા મળ્યો છે. વન આવરણની ઉણપ – ભારતમાં ૮.૩૨ ટકા વિસ્તાર જંગલ અથવા વૃક્ષાચ્છાદનનો વધુ હોવો જોઈએ. તો બીજી તરફ માત્ર ૧૭ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં જ ૩૩ ટકાથી વધુ ભૌગોલિક વિસ્તાર જંગલ કવર હેઠળ છે.

વૈશ્વિક ખાદ્ય નીતિ રિપોર્ટ ૨૦૨૨ની જાહેરાત કરવામાં આવી છે. ભારતનું જળવાયુ પરિવર્તન, હીટવેવ, પૂર, ભારે વરસાદ અને પ્રદૂષણના ઉચ્ચ સ્તરને લઈને મહત્વની વાતો સામે આવી છે. ભારતમાં આગામી સમયમાં તાપમાનમાં કેટલો વધારો થશે અને લોકો સામે કેવી મુશ્કેલીઓ આવશે તેને લઈને પણ ગંભીર ચેતવણી આપવામાં આવી છે.

આ ઉપરાંત જળવાયુ પરિવર્તનનો સામનો કરવા વૃક્ષો કેટલી મદદ કરી શકે છે તે પણ સમજાવવામાં આવ્યું છે. ૨૦૩૦ સુધીમાં ભારતના ખાદ્ય ઉત્પાદનમાં ૧૬%નો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, ભૂખમરાથી પીડિત લોકોની સંખ્યામાં ૨૩% વધારો થઈ શકે છે. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં ૨૦૧૦ના સ્તરની સરખામણીમાં ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન લગભગ ૬૦% વધી જશે. વૈશ્વિક સ્તરે ૭ કરોડથી વધુ લોકો પર ભૂખમરાનું જોખમ રહેશે. તેમાંથી ૨૮ કરોડથી વધુ લોકો પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના હશે. દક્ષિણ એશિયા અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં માંસનું ઉત્પાદન ૨૦૩૦ સુધીમાં બમણું અને ૨૦૫૦ સુધીમાં ત્રણ ગણું થવાનો અંદાજ છે. આ ઉપરાંત તો તાપમાનની વાત કરીએ તો, રિપોર્ટ અનુસાર, ૨૧૦૦ સુધીમાં સમગ્ર ભારતમાં સરેરાશ તાપમાન ૨.૪°C અને ૪.૪°C ની વચ્ચે વધવાનું અનુમાન છે. ભારતમાં ૨૧૦૦ સુધીમાં ઉનાળામાં હીટવેવ ત્રણથી ચાર ગણી વઘવાનો અંદાજ છે. સંભવ છે કે તાપમાનમાં વધારો આવર્તનમાં પૂરની ઘટનાઓમાં વધારો કરશે. આ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં વનીકરણ આપણી મદદ કરશે આ આબોહવા પરિવર્તનની કટોકટીનો સામનો કરવા માટે વૃક્ષો વાવવા એ સૌથી સસ્તો અને સહેલો માર્ગ છે.

જાણો ભારતમાં વ્યક્તિ દીઠ કેટલા વૃક્ષો છે અને તેની સરખામણીએ વિશ્વમાં કેટલા વૃક્ષો છે

ભારત – વ્યક્તિ દીઠ ૨૮ વૃક્ષ, વિશ્વમાં સરેરાશ – વિશ્વમાં વ્યક્તિ દીઠ ૪૨૨ વૃક્ષો, કેનેડા – વ્યક્તિ દીઠ ૮,૯૫૩ વૃક્ષો, રશિયા – વ્યક્તિ દીઠ ૪,૪૬૧ વૃક્ષો, ઓસ્ટ્રેલિયા – વ્યક્તિ દીઠ ૩,૨૬૬ વૃક્ષો, ગ્રીનલેન્ડ – વ્યક્તિ દીઠ ૪,૯૬૪ વૃક્ષો, યુનાઇટેડ સ્ટેટ્‌સ – વ્યક્તિ દીઠ ૭૧૬ વૃક્ષો ચીન – વ્યક્તિ દીઠ ૧૦૨ વૃક્ષો.