“આદિવાસીઓનો વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર”

બનાસકાંઠાઃ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દરેક આદિજાતિ પરિવાર સુખી, શિક્ષિત, સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને એ સપનાને સાકાર કરતા આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે દાંતા ખાતે કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમા આદિવાસી સમાજની સંસ્કૃતિની ઝાંખીના રૂપે આદિવાસી ગીતો, નૃત્યો, વાજિંત્રોનું પ્રદર્શન કરી નાચગાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ગુજરાત સરકાર હંમેશા આદિવાસીઓની પડખે ઊભી છે, ત્યારે આજરોજ ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની વિરલ વિભૂતિઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા તથા અનેક યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા.