પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ

પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ૧૪ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ આગની ઘટનામાં ૨ ફાયરના જવાનો અને બે કારીગરોને ઇજા પહોંચી છે. તેઓને તરત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક કર્મચારી પોતાનો જીવ બચાવા મીલમાંથી કૂદી પડ્યો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આગ એટલી વિકરાળ છે કે, આસપાસના લોકો દુર-દુરથી પોતાના ઘરેથી જોઇ શકતા હતા. આગના ગોટે-ગોટા ઉપર ઉડતા નજર આવતા હતા.

સુરતની મંદરવાજા, ભેસ્તાન, ડિંડોલી, અને મંજુર સહિત ૧૪ ફાયર સ્ટેશનોની ગાડીઓ પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મીલમાં કાપડ હોવાથી આગ વધુને વધુમાં ફેલાતો જાય છે. જોકે, મીલમાં આગ લાગવાની સાથે જ જોરદાર બ્લાસ્ટ પણ થયો હતો. જેથી, લોકો એમથી તેમ દોડવા લાગ્યા હતા. જોકે, હજી સુધી આગ લાગવાનું કારણ એક બંધ છે.