પર્યાવરણ સંકટઃ અમદાવાદની હવા પ્રદૂષિત થઈ, રખિયાલ વિસ્તાર સૌથી વધુ પ્રદૂષિત

પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI ૨૦૦ને પાર થઈ ગયો


અમદાવાદઃ ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. ખાસ કરીને પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI ૨૦૦ને પાર થઈ ગયો છે. જ્યારે કે, અમદાવાદનો સરેરાશ AQI ૧૭૩ રહ્યો છે. સૌથી વધુ પ્રદૂષિત હવા રખિયાલ વિસ્તારમાં જોવા મળી છે.

દિવાળી પહેલા જ સ્માર્ટ સિટી અમદાવાદની હવા પ્રદુષિત બની છે. એક-બે નહિ, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા દુષિત બની રહી છે. પીરાણા, રાઇખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં પીએમ ૨.૫ અને એક્યૂઆઇ ૨૦૦ની ઉપર પહોંચ્યું છે. આજે અમદાવાદનું ઓવર ઓલ AQI  ૧૭૩ પીએમ ૨.૫ એ પહોંચ્યું છે. સૌથી વધુ હવા પ્રદુષિત રખિયાલ વિસ્તારમાં છે.

ઉલ્લેખનીય છે કે AQI ૨૦૦ની ઉપર જતા હવા POOR કેટેગરીમાં હોવાથી ઓરેન્જ અલર્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં શ્વાસ સંબંધી દર્દીઓ બાળકો, વૃધ્ધો, હ્રદય અને ફેફસાં સંબંધિત બીમારી હોય તેવા લોકોને બહાર ન નીકળવા આ અલર્ટ અપાતું હોય છે. લોકોને બહાર ન નીકળવાની ન સુચના અપાતી હોય છે.

ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. ૮૦થી ૧૨૦ ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને ૧૨૦થી ૩૦૦ ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે.

હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે ગત વર્ષે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં ૫ વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે તેવુ જણાવાયુ હતું.

બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જોવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે.