સુપ્રીમ કોર્ટનો નિર્ણય મજબૂત ભારતના નિર્માણ માટે આશાનું પ્રતિકઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય મજબૂત અને વધુ અખંડ ભારતના નિર્માણ માટે આશાનું કિરણ છે.

વડા પ્રધાનની આ ટિપ્પણી ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે સર્વસંમતિથી તે બંધારણીય આદેશને સમર્થન આપ્યા પછી આવી હતી જેને ભારતીય બંધારણની કલમ 370 નાબૂદ કરી દીધી અને તેનાથી જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતે દરજ્જો બિનઅસરકારક બની ગયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર કહ્યું કે, “આજનો નિર્ણય માત્ર એક કાનૂની નિર્ણય નથી પરંતુ તે આશાનું કિરણ છે તેમજ ઉજ્જવળ ભવિષ્યનું વચન છે અને એક મજબૂત અને વધુ અખંડ ભારતનું નિર્માણ કરવાના અમારા સામૂહિક સંકલ્પનો પુરાવો છે.”

સુપ્રીમ કોર્ટના નિર્ણયને ‘ઐતિહાસિક’ ગણાવતા તેમણે કહ્યું, “તે બંધારણીય રીતે 05 ઓગસ્ટ, 2019ના રોજ સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સમર્થન આપે છે. તે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખની આપણી બહેનો અને ભાઈઓ માટે આ આશા, પ્રગતિ અને એકતાની શાનદાર ઘોષણા છે. અદાલતે, તેના ગહન જ્ઞાન સાથે, એકતાના મૂળ તત્વને મજબૂત બનાવ્યું છે, જેને આપણે ભારતીયો તરીકે સૌથી વધુ મહત્વ આપીએ છીએ.

જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને આશ્વાસન આપતાં વડાપ્રધાને કહ્યું કે, “તમારા સપનાઓને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા અડીખમ છે. અમે એ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિના લાભો માત્ર તમારા સુધી જ નહીં, પરંતુ કલમ 370ને કારણે સહન કરનારા આપણા સમાજના સૌથી સંવેદનશીલ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો સુધી પણ પહોંચે.”