દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં લાગી આગ

દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વિમાનને રિપેરિંગ માટે લઈ જઈ રહ્યા હતા, તે સમયે અચાનક તેમાં આગ લાગી અને ધુમાડા નીકળી રહ્યા હતા. જો કે સારી વાત એ સામે આવી છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈને પણ ઈજા થઈ નથી. જો કે હાલમાં એ જાણી શકાયુ નથી કે વિમાનમાં આગ કયા કારણસર લાગી હતી.