ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં ૧૫થી વધુ દુકાનોમાં આગ લાગતા લાખોનો સામાન બળીને ખાક

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે ૧પથી વધુ દુકાનોમાં આગ લાગી હતી. સુરેન્દ્રનગરમાં ૧૫થી વધુ દુકાનોમાં વિકરાળ આગ પ્રસરી ગઈ હતી.

ધ્રાંગધ્રાના રાજકમલ ચોકની ૧૫થી વધુ દુકાનમાં આગ લાગતા આ દુકાનોની નજીક આવેલ બ્લડ બેંક, લેબોરેટરીમાં ફેલાઈ હતી. આ કારણે બાજુમાં આવેલ બ્લડ બેંક તેમજ લેબોરેટરી સુધી પણ આગ પ્રસરી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટા પાયે નુકશાન થયું હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારે આગનો બનાવ બનતા મોટી જાનહાનિ ટળી હતી. કારણ કે આ સમયે કોમ્પ્લેક્સમાં કોઈ હાજર ન હતું.