આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં આગ નો બનાવ, ૬ ના મોત અને ૧૧ થી વધુ ઘાયલ

મધ્યરાત્રિની ના સમયે આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં મોટો આગ નો બનાવ બન્યો હતો, આ દુર્ઘટના માં ૬ લોકો ના મોત થયા હતા અને ૧૧ થી વધુ લોકો ઘાયલ થયા હતા અને જરૂર મુજબ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા. પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા આદેશ આપ્યો છે.

રાજ્ય ના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને ૨૫ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને ૫ લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને ૨ લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે જ અધિકારીઓને ઘાયલોની સ્થિતિ પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો છે.

એલુરૂના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યું કે, ફેક્ટરીમાં નાઈટ્રિક એસિડ, મોનોમિથાઈલના ગળતરના કારણે આગ લાગી હતી. આ ઘટના આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના અક્કીરેદ્દીગુડેમની છે. મળતી માહિતી પ્રમાણે આગ લાગી તે સમયે ૧૮ પીડિતો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટના યુનિટ ૪માં કામ કરી રહ્યા હતા. મૃત્યુ પામનાર ૬માંથી ૪ લોકો બિહારના પ્રવાસી શ્રમિક હતા. આગ પર બે કલાકમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.