કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ મુજબ સમગ્ર ગુજરાતના ખેડૂતો દ્વારા શિયાળાની શરૂઆત થતાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જીરું, વરિયાળી અને ચણા જેવા રવિ પાકોનું વાવેતર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ શિયાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદી ઝાપટાંને પગલે શિયાળું પાકમાં વાવેતરને નુકસાનની ભીતિ સર્જાઇ હોય તેવું ખેડૂતો પાસેથી જાણવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દર વર્ષે રવી પાકનું પુષ્કળ ઉત્પાદન કરીને સારી એવી આવક મેળવતા હોય છે.

પરંતુ ચાલુ વર્ષે સતત માવઠાના પગલે રવિ પાકોનું વાવેતર બગડ્યું છે. તેમાં ખાસ કરી જીરાના પાકને વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે માવઠાના પગલે જીરાના વાવેતર ઉપર માળખાનું પાણી પડતાં જીરાના વાવેતરમાં સુકારો આવવાની નોબત સર્જાઇ છે. જેને લઇને ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે. કારણ કે લાખો રૂપિયાનો ખર્ચ કરી અને જે વાવેતર મોંઘુ બિયારણ કરી મોંઘા ખાતર વપરાશ કરી અને જે વાવેતર કરવામાં આવ્યું છે તે બગડવાની ભીતિ સર્જાઇ જવા પામી છે. આ વાતાવરણમાં ભેજ હોય તેઓ સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સહિતના પંથકોમાં વહેલી સવારથી વાતાવરણ ભેજ વાળું લોકો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી પડી છે.

વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો સમય આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં લીંબડી, સાયલા, ચોટીલા, થાન, વઢવાણ, જોરાવરનગર અને રતનપર સહિતના ગામોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આ વરસાદથી ઉભા રવિ પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે ત્રણ દિવસની વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઇને ફરી વખત જિલ્લામાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડ્યો છે. જીરા બાદ ચણાના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે. વડવાઓની કહેવત છે કે, ચણા ઉપર પાણા પડે તો સારું પણ પાણી પડે તે ન સારું. ત્યારે હાલમાં માવઠાના પગલે ચણાનો પાક પલળી જવા પામ્યો છે. જેને લઇને તેમાં આવતા ફળ અને જીંજરાને નુકસાન થવા પામ્યું છે. કારણ કે, પાણી પડે એટલે ચણાનો પાક પોતાની ખારાશ મૂકી દે છે જેને લઇને ઉત્પાદન ઘટે છે, ત્યારે ચણાનું વાવેતર કરનાર ખેડૂતો પણ માવઠાના કારણે ભયભીત બન્યા છે.