ભરૂચઃ દહેજમાં આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી કેમિકલ કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. દહેજના અંભેટા-જાગેશ્વર ગામ પાસે આવેલી સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા પગલે દોડધામ મચી જવા પામી હતી. ગેસ ગળતરની ઘટનાને પગલે આસપાસમાં લોકો અને ગ્રામજનોને ગળામાં બળતરા અને શ્વાસ લેવાની તકલીફ અનુભવાતી હોવાની ફરિયાદ જોવા મળી હતી.

ગેસ લિકેજને લઇને આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતુ, જેમાં ગ્રામજનોને કોઈ ગંભીર અસર નહીં પહોંચી હોવાનું સામે આવ્યું હતું. જોકે ઘટના ધ્યાનમાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ગેસ ગળતર પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બનાવને પગલે જીપીસીબી અને ઔદ્યોગિક સાલમતી અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી દીધી છે.