પવનની દિશા બદલાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગરમીથી આંશિક રાહત મળશે

ગુજરાતીઓ હાલ કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે, ત્યારે પવનની દિશા બદલાત ગરમીમાં રાહત મળવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૫ દિવસ રાજ્યમાં સામાન્ય વાતાવરણ બની રહેશે. પવનની દિશા બદલાતા ગરમીથી આંશિક રાહત મળશે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહેશે.