પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બનશે

  • ૬ ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ વડનગર આવશે
  • અધિકારીઓને સૂચિત જગ્યાના ૭/૧૨, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના

વડનગરઃ દેશના લોક લાડીલા પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરવાસીઓ માટે એક ખુશખબર મળી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એરપોર્ટ બની શકે છે. પરંતુ આ હકીકત બની શકે છે. વડનગરમાં એરપોર્ટ બનાવવા ૩ જગ્યાએ ટીમ સર્વે કરશે. ૬ ડિસેમ્બરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ પીએમ નરેન્દ્ર મોદીના વતન વડનગર આવશે. એરપોર્ટ પ્રી-ફિઝીબીલીટી સ્ટડીની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમ આવશે. DILR મહેસાણા, વડનગર અને વિસનગર મામલતદારને પણ આ વિશે જાણ કરાઈ છે. અધિકારીઓને સૂચિત જગ્યાના ૭/૧૨, ગામનો નકશો અને સર્વેના સાધનો સાથે હાજર રહેવા સૂચના અપાઈ છે.

વડનગર, ગુંજા અને ચાંદપુરમાં એરપોર્ટ માટે ત્રણ ગામોના ૧૫૯ સર્વે નંબરોની જમીનનો સમાવેશ થાય છે. નાગરિક ઉડ્ડયન કચેરી દ્વારા મહેસાણા જિલ્લાના અધિકારીઓને આ વિશે સૂચના અપાઈ છે. નિવાસી અધિક કલેકટર દ્વારા સ્થાનિક અધિકારીઓને પણ જરૂરી સૂચના અપાઈ છે.