બજાણામાં ભરવાડના વાડામા વિકરાળ આગ લાગી, અંદાજે રૂ. ૭ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જણાયું

પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. ૭૦૦૦૦૦ લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ. આ ઘટનામાં ભરવાડ સમાજના લોકોને લાખાનું નુકશાન, પણ સદભાગ્યે કોઈ જાનહાની ન થતાં રાહતનો દમ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય છે. જેમાં ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ મસમોટું નુકશાન થવાનો બનાવો બનતા હોત છે. ત્યારે પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. ૭૦૦૦૦૦ લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ.

આ ઘટનામાં ભરવાડ સમાજના લોકોને લાખાનું નુકશાન, પણ સદભાગ્યે કોઈ જાનહાની ન થતાં રાહતનો દમ લીધો હતો. આ આગની ઘટનામાં બજાણા ગામના બળદેવભાઇ વશરામભાઇ ગોલતરના જુવારના પુળા ૬,૦૦૦, વેલાભાઇ કરમણભાઇ ગોલતરના જુવારના પૂળા ૪,૫૦૦, વિહાભાઇ કાળુભાઇ મુંધવાના જુવારના પૂળા ૭,૫૦૦, હિરાભાઇ વશરામભાઇ ગોલતરના જુવારના પૂળા ૧,૫૦૦, કલાભાઇ લક્ષ્મણભાઇ ગોલતરના જુવારના પૂળા ૧,૦૦૦, ગેલાભાઇ કાળુભાઇ ગોલતરના જુવારના પૂળા ૪૦૦ અને ભરતભાઇ માતમભાઇ બનાડાના જુવારના પૂળા ૪,૫૦૦ પળવારમાં બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે ૩૦૦ મણ મગફળી અને ભરતભાઇ માતમભાઇ બનાડાની ગાસંડી નંગ- ૮૦૦ મળી જુવારના પૂળા નંગ ૨૫,૪૦૦ મળી અંદાજે રૂ. ૭૦૦૦૦૦ લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ. આ આગની ઘટના બાદ અફડાતફડીના માહોલ વચ્ચે ગ્રામજનો દ્વારા પાણીનો જોરદાર મારો ચલાવતા ચારથી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવતા ભરવાડ સમાજના લોકોએ રાહતનો દમ લીધો હતો.