દેશના નિષ્ણાંતો સંમતિ આપશે ત્યારે બુસ્ટર ડોઝ આપીશું : મનસુખ માંડવિયા

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (સુધારા) બિલ, ૨૦૨૧ પર ગઈકાલે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ રાજ્યસભાએ ‘ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (એમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧’ પસાર કર્યું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આ બિલ પર બોલતા પહેલા હું ૧૦ લાખ ફાર્માસિસ્ટ, કર્મચારીઓ, ઝ્રઈર્ં, સ્ડ્ઢ, ચેરપર્સનનો આભાર માનું છું. કોવિડ દરમિયાન ભારતને મદદ કરી અને ૧૫૦ દેશોને દવા સપ્લાય કરી.  કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભાને ગેરમાર્ગે દોર્યું જ્યારે તેમણે કહ્યું કે નાગાલેન્ડમાં નાગરિકો ભાગવાનો પ્રયાસ કર્યા પછી સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો.

લોકસભા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટઅને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ના ડિરેક્ટરોના કાર્યકાળને લંબાવવા સંબંધિત બિલો પર પણ ચર્ચા કરવામાં આવી હતી.સંસદના શિયાળુ સત્રનો આજે ૧૦મો દિવસ છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત સહિત ૧૩ લોકોના મોત બાદ શ્રદ્ધાંજલિ આપવા માટે વિપક્ષ દ્વારા ગઈકાલે ગૃહમાં કોઈ પ્રદર્શન કરવામાં આવ્યું ન હતું, પરંતુ  ઘણા મુદ્દાઓ પર ચર્ચા માટે વિપક્ષ દ્વારા નોટિસ આપવામાં આવી છે.

લોકસભામાં સાંસદોના પ્રશ્નોના જવાબ આપતી વખતે આરોગ્ય મંત્રીએ બુસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવશે તેની માહિતી પણ આપી હતી.  સત્રના ૧૦મા દિવસે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રસીના નવા પ્રકાર પર અસરકારક હોવાના મુદ્દે જણાવ્યું હતું કે ઓમિક્રોન પર રસી કેટલી અસરકારક છે તે અંગે લેબમાં અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પછી જ કહી શકાશે કે રસી કેટલી અસરકારક રહેશે. તેમણે એમ પણ જણાવ્યું કે હાલમાં જીનોમ સિક્વન્સિંગ માટે દેશમાં ૩૬ લેબ ઉપલબ્ધ છે અને તેમાંથી ૩૦,૦૦૦ જીનોમ સિક્વન્સિંગ કરી શકાય છે. ખાનગી લેબનો ઉપયોગ કરીને પણ આ ક્ષમતા વધારવામાં આવી રહી છે.માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ એક પોલીમોર્ફિક વાયરસ છે. સમયાંતરે ફોર્મમાં ફેરફાર થાય છે. નવા મ્યુટન્ટ્‌સ તરીકે અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

દેશમાં રસીના ડોઝ અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં ૮૯% પ્રથમ ડોઝ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે લગભગ ૭ કરોડ ડોઝ હજુ પણ રાજ્યો પાસે પડ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં બે નિષ્ણાત જૂથો છે. જ્યારે બંને જૂથો સંમતિ આપશે, ત્યારે અમે ત્રીજો અથવા બૂસ્ટર ડોઝ આપીશું. આરોગ્ય મંત્રીએ કહ્યું કે કેરળમાં નિષ્ણાત ટીમે અભ્યાસ કર્યો અને જઈને સલાહ આપી કે કોવિડ યોગ્ય વર્તન અપનાવવું એ શ્રેષ્ઠ માર્ગ છે. તેમણે કહ્યું કે આજે દેશમાં ઓમિક્રોનના ૨૩ કેસ છે. અમે દરરોજ સવારે વૈજ્ઞાનિકો સાથે આ અંગે ચર્ચા કરીએ છીએ.

અમે સતત અભ્યાસ કરીએ છીએ કે મ્યુટન્ટ્‌સ કેવી રીતે વર્તે છે. કોંગ્રેસના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ મોંઘવારી મુદ્દે ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત દરખાસ્તની સૂચના આપી છે, કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે “ભારતીય ક્ષેત્રમાં ચીની સેનાની ઘૂસણખોરી..”ના મુદ્દા પર ચર્ચા કરવા લોકસભામાં સ્થગિત દરખાસ્ત આપી છે. તેવી જ રીતે, રાજ્યસભાના સાંસદ મનોજ કુમાર ઝાએ “ભારતભરમાં માનવાધિકાર ઉલ્લંઘનની ચર્ચા કરવા” ગૃહમાં સસ્પેન્શન નોટિસ આપી છે. આ પહેલા સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં ગુરુવારે પહેલીવાર રાજ્યસભાનું કામકાજ સુચારૂ રીતે શરૂ થઈ શક્યું હતું.