સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો

સુએઝ કેનાલ દ્વારા માલસામાનની અવરજવર હવે વધુ મોંઘી બનશે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગો પૈકીના એક સુએઝ કેનાલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સુએઝ કેનાલ ઓથોરિટીએ કેનાલ સેવાઓના વિકાસ અને સુધારણાને ટાંકીને જણાવ્યું હતું કે ટેરિફમાં વધારો વૈશ્વિક વેપારમાં થયેલા નોંધપાત્ર વધારાને અનુરૂપ છે. સુએઝ કેનાલમાંથી દર વર્ષે હજારો જહાજો પસાર થાય છે. એવું માનવામાં આવે છે કે વિશ્વનો ૧૦% વેપાર અહીંથી થાય છે. ખાસ કરીને તેલ પરિવહન માટેઆ એક મહત્વપૂર્ણ માર્ગ છે.

સુએઝ કેનાલનો આ માર્ગ ભૂમધ્ય સમુદ્રને લાલ સમુદ્ર સાથે જોડે છે. એક રીતે તે એશિયા અને યુરોપ વચ્ચેની સમુદ્રી લિંક છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, કેમિકલ ટેન્કર અને અન્ય લિક્વિડ બલ્ક ટેન્કરો માટેના ટ્રાન્ઝિટ ચાર્જમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. સમાન વાહનો, કુદરતી ગેસ, સામાન્ય કાર્ગો અને મલ્ટીપલ યુઝ જહાજોનું વહન કરતા જહાજો માટેના ટ્રાન્ઝિટ ચાર્જમાં ૭ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેલ અને અન્ય ટેન્કરો અને ડ્રાય કાર્ગો જહાજો માટેના પરિવહન ચાર્જમાં ૫ ટકાનો વધારો કરવામાં આવશે. નહેરના અધિકારીઓ જળમાર્ગના દક્ષિણ ભાગને પહોળો અને ઊંડો કરવા માટે કામ કરી રહ્યા છે જ્યાં એક હોકિંગ જહાજે માર્ચ ૨૦૨૧માં નહેર બંધ કરી દીધી હતી. વૈશ્વિક શિપિંગમાં થતા ફેરફારોના આધારે વધારાને સુધારી અથવા પરત ખેંચી શકવામાંઆવી શકે છે. વિશ્વના ૭ ટકા તેલ સહિત વૈશ્વિક વેપારનો લગભગ ૧૦ ટકા હિસ્સો સુએઝ કેનાલમાંથી પસાર થાય છે, જે ભૂમધ્ય અને લાલ સમુદ્રને જોડે છે. ઇજિપ્તની નહેર સૌપ્રથમ ૧૮૬૯ માં ખોલવામાં આવી હતી તે રાષ્ટ્રીય ગૌરવ અને વિદેશી હૂંડિયામણ બંનેનો સ્ત્રોત છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે નહેરમાંથી ૨૦,૬૪૯ જહાજો પસાર થયા હતા. જે ૨૦૨૦ માં ૧૮,૮૩૦ થી ૧૦ ટકા વધારે છે. નહેરની વાર્ષિક આવક ૨૦૨૧ માં ૬.૩ બિલિયન ડોલર સુધી પહોંચી હતી જે તેના ઇતિહાસમાં સૌથી વધુ છે. સુએઝ કેનાલ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગયા મહિને ૧,૭૧૩ જહાજો જળમાર્ગમાંથી પસાર થયા હતા જેનાથી ૫૪૫ મિલિયનની આવક થઈ હતી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ૧,૫૩૨ જહાજો નહેરમાંથી પસાર થયા હતા જેનાથી ૪૭૪ મિલિયન ડોલર મળ્યા હતા. શિપિંગ ઉદ્યોગ હજી પણ મહામારીના દબાણ હેઠળ છે અને યુક્રેન પર રશિયાનું યુદ્ધ વૈશ્વિક આર્થિક ચિંતાઓ વધારશે તેવી શક્યતા છે.