TNPLની કેમિકલ ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે બે લોકોના મોત

ચેન્નાઈ:  મંગળવારે તમિલનાડુના ઉત્તરીય ઉપનગર મનાલીમાં તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ લિમિટેડ (TNPL)ના પરિસરમાં ખાલી કેમિકલ ટેન્ક સાફ કરતી વખતે બે કોન્ટ્રાક્ટ કામદારો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા.

આ ટેન્કોનો ઉપયોગ કેમિકલ બેન્ઝીન સ્ટોર કરવા માટે થતો હતો. કથિત રીતે કામદારો ઝેરી ગેસના સંપર્કમાં આવ્યા હતા અને ટાંકીની અંદર બેભાન થઈ ગયા હતા. કામદારોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 

પોલીસે જણાવ્યું કે બે કામદારોની ઓળખ દીનદયાલન (41) અને પંચનાથ ઠાકુર (59) તરીકે થઈ છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ટેન્કનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.