ઇડરમાં વરસાદની સાથે વીજળી પડતા બે પશુધનનું મોત

ગુજરાતમાં તારીખ ૨૮ ની રાત્રે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર વિસ્તારમાં પણ વરસાદની સાથે વીજળીના કડાકા જોવા મળતા હતા તે સમયે ઇડરના કુંજ વિસ્તારમાં રહેતા લાલાભાઇ કરણભાઈ ભરવાડના ત્યાં એકાએક વીજળી પડતા બે પશુઓના મોત નીપજ્યા હતા પ્રાપ્ત વિગત પ્રમાણે જાણવા મળે છે કે લાલાભાઇ કરણભાઈ ભરવાડ ની એક ગાય અને એક ભેંસ પર વીજળી પડતા બંને પશુઓના મૃત્યુ થયું હતું વીજળી પડતા બંને દુધાળા પશુઓ ના મોત નીપજતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા જે હોય તે પરંતુ વીજળી પડતા અબોલ પશુધનનું મૃત્યુ નીપજતા ભરવાડ પરિવાર પર આફત આવી પડી હોય તેવું દ્રશ્ય દેખાતું હતું હતું