તેલંગાણાઃ સાંગારેડ્ડીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ લોકોના મોત

હૈદરાબાદ:  તેલંગાણામાં હૈદરાબાદની હદમાં બુધવારે સાંજે સાંગારેડ્ડી જિલ્લાના ચાંદાપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પ્લાન્ટ મેનેજર અને ચાર કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ લોકોને સાંગારેડ્ડી વિસ્તારની હોસ્પિટલ અને હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના સમયે લગભગ 15 કર્મચારીઓ બીજી શિફ્ટમાં હતા.
આગ ઓલવવા માટે ઓછામાં ઓછી ચાર ફાયર  બ્રિગેડ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મંત્રી કોંદનરામ સુરેખા અને દામોદર રાજનરસિમ્હા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
મુખ્ય પ્રધાન એ રેવન્ત રેડ્ડીએ ભીષણ આગમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ કામના કરી હતી.