ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા છે. ઘણી જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને હજારો ઘરો, દુકાનો અને ઓફિસો વરસાદી પાણીમાં ડૂબી હતી. સ્થિતિને જોતા લખનૌ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી.

હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર લખનૌ અને તેની આસપાસના બારાબંકી, હરદોઈ, કાનપુર, બહરાઈચ અને ઉન્નાવ સહિત લગભગ ૨૨ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. જો યુપી સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદ થયો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સોમવારે રાહત કમિશનરની ઓફિસમાંથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં યુપીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, અતિવૃષ્ટિને કારણે ૧૩ લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોના મોત વીજળી પડવાથી અને બેના ડૂબી જવાથી થયા છે. સોમવારે રાહત કમિશનરની કચેરી તરફથી માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૪૦, મુરાદાબાદ, સંભલ, કન્નૌજ, રામપુર, હાથરસ, બારાબંકી, કાસગંજ, બિજનૌર, અમરોહા, બહરાઈચ, લખનૌ, બદાઉન, મૈનપુરી, હરદોઈ, ફિરોઝાબાદ, બરેલી, શાહજહાંપુર, કાનપુર, સીતાપુર, ફારુખાબાદ, લૌકિક અને ફતેહપુરમાં મીમીથી વધુ વરસાદ નોંધાયો છે.

યુપીમાં વરસાદને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લાઓના અધિકારીઓને રાહત કાર્ય પૂર્ણ તત્પરતાથી હાથ ધરવા સૂચના આપી છે. સરકારી નિવેદન અનુસાર, મુખ્યમંત્રીએ કહ્યું કે અધિકારીઓએ વિસ્તારની મુલાકાત લેવી જાઈએ અને રાહત કાર્ય પર નજર રાખવી જોઈએ. આપત્તિથી પ્રભાવિત લોકોને શક્ય તેટલી વહેલી તકે રાહત ભંડોળનું વિતરણ કરો. મુખ્યમંત્રીએ એવી પણ સૂચનાઓ આપી છે કે પાણી ભરાઈ જવાના સંજાગોમાં ડ્રેનેજની અસરકારક વ્યવસ્થા કરવામાં આવે. નદીઓના જળ સ્તરનું સતત નિરીક્ષણ કરવું જાઈએ.

હવામાન વિભાગની આગાહી અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૧૪ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ૧૭ સપ્ટેમ્બર સુધી હળવો વરસાદ ચાલુ રહેશે. ૧૭ સપ્ટેમ્બર સુધી રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ અને ઝાપટાની શક્યતા છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ ૧૫ સપ્ટેમ્બર સુધી વીજળી પડવાને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

આ સાથે સોમવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન, મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય છે. આ સાથે લઘુત્તમ તાપમાન ૨૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતા બે ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે મંગળવારે એટલે કે આજે પણ આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.