સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં, નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચી ગઈ

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર ૧૩૮ મીટરને પર થઈને પ્રથમવાર ૧૩૮.૬૮ મીટરે નોંધાઈ હતી, ત્યારે મુખ્યમંત્રીએ કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાનાં વધામણાં કર્યાં હતાં. સવાર સુધીમાં ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીની વિધિવત્‌ પૂજા કરી આરતી ઉતારી હતી. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક – ૨,૧૧,૦૬૭ ક્યુસેક આવી રહી છે. જેના લીધે હાલ ૨૩ દરવાજા ખોલવાની ફરજ પડી છે.

મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક.૨,૧૧,૦૬૭ ક્યુસેક થઈ રહી છે. ત્યારે સવારે ૨૩ દરવાજા ૧.૩૦ મીટર ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી અને સપાટી ધીરે ધીરે વધતી ગઈ. નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરની મહત્તમ પાર કરી એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી તે આજે પરિપૂર્ણ થઇ છે અને આ નર્મદા નીરનાં વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ પર પહોંચી બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ ચૂંદડી, પુષ્પ ચઢાવી મા નર્મદાનાં નીરનાં વધામણાં કરશે. આ છલોછલ ડેમ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને જન્મદિવસની ભેટ તરીકે અપાશે.