“શરીરને સ્વસ્થ રાખવા યોગ ખૂબ જરુરી તેથી આવો સૌ સાથે મળીને યોગ કરીએ”:મંત્રી બળવંતસિંહ રાજપૂત

પાટણઃ પાટણવાસીઓ આજે વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી બન્યા હતા. 21 મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યુ છે. રજયભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેનાં ભાગરૂપે પાટણમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ સૌએ લાઈવ નિહાળ્યો હતો.

પાટણની પી.કે.કોટાવાલા કૉલેજ ખાતે કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત યોગ દિવસનાં કાર્યક્રમમાં 2000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમને સંબોધિત કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજે ગૌરવનો દિવસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ યોગની નોંધ લેવાઈ રહી છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું હતુ કે, માત્ર ભારત નહી પરંતું પૂરા વિશ્વમાં યોગને સ્થાન મળવું જોઈએ. વડાપ્રધાને વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની વાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી 21મી જૂનનાં રોજ આપણે સૌ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માનવીએ છીએ.

મંત્રી બળવંતસિંહે વધુમાં જણાવ્યું હતુ કે આપણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2019માં યોગ બોર્ડની સ્થાપના કરીને છેવાડાનાં માનવી સુધી યોગને પહોંચાડવા માટે પ્રયત્નો કર્યા છે. આજે ગુજરાતનાં નડાબેટથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું લાઈવ માર્ગદર્શન આપણે સૌ મેળવીશું. સૌ સાથે મળીને યોગને જીવનમાં સ્થાન આપવાનો સંકલ્પ લઇએ.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહ રાજપૂત, જિલ્લા પંચાયત પ્રમુખ  હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ  હિરલબેન પરમાર, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવીન્દ્ર પટેલ, ડી.આર.ડી.એ.નિયામક આર.પી.જોષી, રમત ગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, લેફ્ટનન્ટ કર્નલ નીતિન જોષી આગેવાનો દશરથજી ઠાકોર, ભાવેશ પટેલ તેમજ વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news