વડોદરાના બે મોટા વિસ્તારોમાં આજે ૨૧ તારીખે પાણી વિતરણ નહીં થાય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ૬૦૦ મી.મી. વ્યાસ પાણીની મુખ્ય ફિડર લાઇન મલ્હાર ચાર રસ્તા પાસે બ્રિજના પાઇલ ફાઉન્ડેશનમાં નડરરૂપ હોવાથી આ લાઇનનું શિફ્ટીંગનું કામ કરવાની કામગીરી કરવામાં આવશે. જેથી પાણી વિતરણ બાદ અકોટા ટાંકી તથા કલાલી ટાંકીથી એ દિવસે સાંજે પાણી વિતરણ નહીં કરાય. તેમજ બીજા દિવસે પણ હળવા દબાણે અને ઓછા સમય તથા વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે.

આમ બ્રિજની કામગીરી માટે પાણીની લાઇનનું શિફ્ટીંગ થતાં અકોટા અને કલાલીના એક લાખ જેટલા લોકોને ભરઉનાળે પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. વડોદરા શહેરમાં ૩ વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો.

આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને ૪ દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.વડોદરા શહેરના અકોટા અને કલાલી વિસ્તારમાં સમયે પાણી વિતરણ નહીં થાય. તેમજ બીજા દિવસે પણ ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે. જેથી એક લાખ લોકોને હાલાકીને સામનો કરવો પડશે.