યુદ્ધની સ્થિતિમાં ઉદ્યોગોને જીવતદાન: ગેસના કાપ સામે GPCBનો ઐતિહાસિક નિર્ણય

  • મોટો નિર્ણય: મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે ઉદ્યોગોને હવે ૩ મહિના સુધી પ્રવાહી બળતણ વાપરવાની છૂટ
  • GPCBનો આ આદેશ ૬ માર્ચ, ૨૦૨૬થી આગામી ત્રણ મહિના માટે અમલી રહેશે
  • ઉદ્યોગોએ માત્ર પોતાની યુટિલિટી, કેપેસીટી અને વપરાશમાં લેવાનાર બળતણની વિગત બોર્ડને લેખિતમાં જણાવવાની રહેશે

ગાંધીનગર:મધ્ય પૂર્વ એશિયામાં સર્જાયેલા ભૌગોલિક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધથી ભારતનો ગેસ સપ્લાય ખોરવાયો છે. આ કટોકટીમાં રાજ્યના ઉદ્યોગો ઠપ્પ ન થઈ જાય તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ઉદ્યોગ જગતને મોટી રાહત આપતો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

આ નવી ઇડલાઇનથી શું બદલાશે તોના પર નજર કરીએ તો, ગેસ આધારિત ઉદ્યોગો હવે ગેસની અછત સામે લિક્વિડ ગેસ, LPG કે અન્ય માન્ય પ્રવાહી બળતણ વાપરી શકશે,  આ ફેરફાર માટે ઉદ્યોગોએ CTE કે CCAની નવી મંજૂરી કે કન્સેન્ટમાં એમેન્ડમેન્ટ કરાવવાની જરૂર રહેશે નહીં,  ઉદ્યોગોએ માત્ર પોતાની યુટિલિટી, કેપેસીટી અને વપરાશમાં લેવાનાર બળતણની વિગત બોર્ડને લેખિતમાં જણાવવાની રહેશે  તેમજ  ગેસની જેટલી ઘટ પડી હોય તેટલા જ પ્રમાણમાં વૈકલ્પિક બળતણ વાપરી શકાશે અને તેનો રેકોર્ડ રાખવો પડશે.

ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખે આ નિર્ણયને આવકારતા જણાવ્યું, “અમારી રજૂઆતને અનુલક્ષીને જીપીસીબીએ (GPCB) બહુ ફાસ્ટ ડિસીઝન લઈ અને ગેસની જગ્યાએ લિક્વિડ ગેસ, એલપીજી (LPG) અથવા તો બીજી કોઈપણ ગેસ વાપરવાની માન્યતા તરત જ આપી દીધી છે અને કન્સેન્ટમાં એમેન્ડમેન્ટ કરવાની જરૂર નથી. ટેમ્પરરી ત્રણ મહિના માટેની આ પરિસ્થિતિા પગલે જે સંજોગો સર્જાયા છે એના અનુસંધાને આ જીપીસીબીએ આ માન્યતા આપેલી છે.
​અને જે સભ્યોને હજી સોલિડ વેસ્ટનો કંઈ પણ ઉપયોગ કરવો હોય તો પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને એ ચેન્જીસ આપશે, તો એ સીટીઈ (CTE) એમેન્ડમેન્ટ તાત્કાલિક ધોરણે કરી આપશે એવી બાંહેધરી આજના તારીખમાં મળી છે. જીપીસીબીના ચેરમેનશ્રી અને મેમ્બર સેક્રેટરી બંને અમને પરમિશન એવી આપી છે. ​ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ સહિત તમામ ઉદ્યોગકારોએ એમને મળી અને રજૂઆત કરતા  આ સંજોગોમાં આટલો ઝડપી નિર્ણય લેવો તે ખૂબ જ સરાહનીય છે અને અભિનંદનને પાત્ર છે.

જોકે, અહીં ઉલ્લેખનીય છે કે આ ૩ મહિનાનો ટ્રાયલ પિરિયડ છે. GPCBનો આ આદેશ ૬ માર્ચ, ૨૦૨૬થી આગામી ત્રણ મહિના માટે અમલી રહેશે. ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને આગળનો નિર્ણય લેવાશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news