પ્રદૂષણનો પ્રહારઃ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં AQI ૨૦૦ને પાર

અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો

અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૨૫ નોંધાયો

રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI  ૨૦૦ને પાર


અમદાવાદ: ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની શરૂઆત સાથે શહેરની હવા દૂષિત થઈ છે. રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI ૨૦૦ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૨૫ નોંધાયો છે. જે બતાવે છે કે અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી નથી. અમદાવાદ શહેરમાં પ્રદુષણનું વધતું સ્તર જોખમકારક સ્થિતિ તરફ વધી રહ્યું છે. ખાસ કરીને નવરંગપુરા, રાઇખડ અને રખિયાલમાં પ્રદુષણ પુઅર કેટેગરીમાં પહોંચી ગયું છે. તો અમદાવાદમાં ઓવરઓલ એક્યીઆઇ પીએમ ૨.૫ ૧૨૫ બતાવે છે.

ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. ૮૦થી ૧૨૦ ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને ૧૨૦થી ૩૦૦ ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે.

અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે ગત વર્ષે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં ૫ વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે તેવુ જણાવાયુ હતું.

બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જાવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે.