ભારે વરસાદને કારણે જુનાગઢ રુટની અનેક ટ્રેન રદ

જુનાગઢમાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદની વાત કરીએ તો જૂનાગઢની બજારોમાં નદીઓના પૂરની જેમ પાણી દોડ્યા હતા. જે સમગ્ર પાણી ઓઝતમાં ભળીને આગળ વધતા ઓજત નદીનાં પાંચ દરવાજા ખોલવામાં આવ્યા. આ પાણી સીધા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ વિસ્તારમાં  ઘુસી ગયા હતા. ત્યારે ઘેડ વિસ્તાર ફરી એક વખત બેટમાં ફેરવાઈ ગયો છે. જૂનાગઢમાં ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. ભાવનગર ડિવિઝનમાં આવેલા જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જૂનાગઢ- વડાલ સેક્શનમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયો હતો. આ સ્થિતિને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/જતી કેટલીક વધુ ટ્રેનોને સંપૂર્ણ અથવા આંશિક રીતે રદ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા રદ કરાયેલી અને ટર્મિનેટ કરાયેલી ટ્રેનની માહિતી જાહેર કરવામા આવી છે. સાથે જ જણાવાયુ છે કે, મુસાફરોએ આ વાતનું ધ્યાન રાખવુ. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. જૂનાગઢ વેરાવળ વિભાગ વચ્ચે ટ્રેક ધોવાણને કારણે.

ટ્રેન નં.  ૧૯૧૧૯ અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ JCO ૨૨.૦૭.૨૦૨૩ જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને જેતલસર-વેરાવળ વચ્ચે રદ કરવામાં આવશે. રેલવેએ જણાવ્યું કે, રેલવે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્‌સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

૧) ટ્રેન નંબર ૨૨૯૫૭ અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ ૨૨.૦૭.૨૦૨૩ ના રોજ રદ રહેશે.

૨) ટ્રેન નંબર ૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ ૨૨.૦૭.૨૦૨૩ ના રોજ રદ રહેશે.

૧) ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ૨૧.૦૭.૨૦૨૩ ના રોજ જબલપુરથી ઉપડતી જેતલસર ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે.  આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

૨) ૨૩.૦૭.૨૦૨૩ ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસને રાજકોટથી વેરાવળને બદલે જબલપુર તરફ વાળવામાં આવશે.  આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

૩) ટ્રેન નંબર ૧૯૨૧૭ બાંદ્રા ટર્મિનસ – ૨૨.૦૭.૨૦૨૩ ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે.  આમ આ ટ્રેન રાજકોટ-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

૪) ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ – ૨૩.૦૭.૨૦૨૩ ના રોજ શરૂ થતી બાંદ્રા (ટી) એક્સપ્રેસને વેરાવળને બદલે રાજકોટથી બાંદ્રા (ટી) વચ્ચે દોડાવવા માટે ડાયવર્ટ કરવામાં આવશે.  આમ આ ટ્રેન વેરાવળ-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

૫) ૨૨.૦૭.૨૦૨૩ ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ જેતલસર ખાતે ટૂંકી કરવામાં આવી છે.  આમ આ ટ્રેન જેતલસર – વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.

૬) ૨૩.૦૭.૨૦૨૩ ના રોજ શરૂ થનારી ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસને જેતલસરથી વેરાવળને બદલે અમદાવાદ તરફ વાળવામાં આવશે.  આમ આ ટ્રેન વેરાવળ – જેતલસર વચ્ચે આંશિક રીતે રદ કરાઈ છે.