ચંદ્ર પર વિજય બાદ ઈસરો આ મિશન લોન્ચ કરશે, સમગ્ર વિશ્વની નજર ઈસરો પર

નવીદિલ્હીઃ ભારત હવે ચંદ્ર પર છે, ઈસરોના વડા એસ. સોમનાથે ગઈકાલે સાંજે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-૨ની નિષ્ફળતા પછી ઇસરો સેન્ટરના વૈજ્ઞાનિકોના બધાને નિરાશ કર્યા હતા, પરંતુ ચાર વર્ષ પછી મહેનત રંગ લાવી અને ચંદ્રયાન-૩ એ ચંદ્ર પર સફળતાપૂર્વક પગ મૂક્યો હતો અને પોતાનું કામ શરૂ કર્યું હતું. ચંદ્રના દક્ષિણી ભાગ પર પગ મૂકનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે, આ બધું ઈસરોના વૈજ્ઞાનિકોની મહેનતના કારણે શક્ય બન્યું છે. પરંતુ ઈસરો હજુ રોકાયું નથી, ચંદ્રયાન-૩ પછી એવા ઘણા મિશન છે, જે ઈતિહાસ રચી શકે છે.

ઈસરોએ ચંદ્ર પછી મંગળ, શુક્ર અને સૂર્યને પણ કબજે કરવાની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચંદ્રયાન-૩ની સફળતા બાદ બુધવારે જાહેરાત કરી હતી કે ભારતનું ISRO આવનારા સમયમાં આ મિશન હાથ ધરશે અને આ દિશામાં પગલાં લઈ ચૂક્યા છે. ચંદ્ર પછી, ISROના મુખ્ય મિશન કયા છે, જેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે.

આદિત્ય-એલ1: આ મિશન સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ISRO દ્વારા લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનનો હેતુ સૂર્યનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય એલ-૧ એ સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ભારતનું પ્રથમ મિશન હશે. પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિ.મી. દૂર આવેલ લોંગરેન્જ પોઈન્ટ, તે સૂર્યની નજીક છે, આદિત્ય-એલ૧ અહીંથી જ મોકલવામાં આવશે.

નિસારઃ ISRO પાસે એક મહત્વપૂર્ણ મિશન NI-SAR પણ છે, જેને ISRO અને NASA મળીને પૂર્ણ કરશે. આ મિશનનો હેતુ કોઈપણ કુદરતી આફત પહેલા વિશ્વને માહિતગાર કરવાનો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, તે એક ઉપગ્રહ હશે, જેને પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહ દર ૧૨ દિવસે વિશ્વનો નકશો બનાવશે, જેમાં કુદરતી આફતોથી સંબંધિત જાખમોની માહિતી હશે. આ સેટેલાઇટનું બજેટ ૧.૫ મિલિયન ડોલર હશે.

શુક્રયાનઃ ISROની નજર માત્ર ચંદ્ર કે સૂર્ય પર જ નહીં પરંતુ શુક્ર ગ્રહ પર પણ છે. શુક્રયાન મિશન પહેલા વર્ષ ૨૦૨૪માં લોન્ચ થવાનું હતું, પરંતુ હવે તેને આગળ વધારી શકાય છે. ભારત ઉપરાંત અમેરિકા, ચીન અને યુરોપિયન સ્પેસ એજન્સી પણ શુક્ર પર તેમના મિશન મોકલવા માટે તૈયાર છે.

ગગનયાનઃ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે, પરંતુ ચંદ્ર પર માણસ મોકલવાનો બાકી છે. તેની તૈયારી માટે ગગનયાન મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે સ્વદેશી હશે. ગગનયાનના પહેલા ભાગમાં ઈસરો ૩ માનવોને અવકાશમાં મોકલશે, જેઓ ત્યાં ૩ દિવસ રોકાઈને પાછા ફરશે, જ્યારે આ મિશન સફળ થશે ત્યારે મનુષ્યને ચંદ્ર પર મોકલવાની અને તેનો અભ્યાસ કરાવવાની તૈયારી કરવામાં આવશે.

આ ફક્ત કેટલાક મહત્વપૂર્ણ મિશન છે જેના પર ISROની નજર છે. આ મોટા મિશન ઉપરાંત ISRO એક્સપોઝેટ, સ્પેડેક્સ, મંગલયાન-૨ જેવા મિશન છે જે ઈસરોની યાદીમાં છે. ISROની સફળતા અવકાશની દુનિયામાં ભારતનું નામ સતત રોશન કરી રહી છે, એટલે જ દુનિયાના દરેક નાના-મોટા દેશ ISRO સાથે મળીને મિશન શરૂ કરવા માંગે છે. અવકાશની દુનિયામાં ભારતે પ્રાઈવેટ સેક્ટરને પણ આમંત્રિત કર્યા છે, તેથી આગામી કેટલાક વર્ષોમાં ભારતમાંથી પણ ખાનગી સેટેલાઈટ્‌સ અવકાશમાં લોન્ચ થઈ શકે છે.