રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ભીષણ આગ, લોકોમાં અફરાતફરી

રાજકોટમાં કોઠારીયા સોલ્વેન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કોઇ કારણોસર ભીષણ આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૩ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા શરૂ કર્યા હતા. હજુ સુધી કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ વિકરાળ આગમાં માસ-સામાન ખાખ થયાનું જાણવા મળ્યું છે.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટરની ટીમ દ્વારા લોકોને પણ આગથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. આગ એટલી વિશાળ હતી કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જાેવા મળ્યા હતા. પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે. આગના પગલે અહીં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવ્યા હતા.

આગના ગોટેગોટા દૂર સુધી જાેવા મળી રહ્યાં છે. હાલ મોટાભાગની આગ કાબૂમાં આવી ચૂકી છે. હાલ કંઈ રીતે આગ લાગી તે અંગે મેનેજમેન્ટ દ્વારા કોઇ પણ જાતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બીજી તરફ ફેક્ટરીમાં મોટાભાગના સ્ટોર રૂમ અને અન્ય રૂમોમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઇ છે.