પર્યાવરણ દિવસ વિશેષઃ ધ ગ્રીન એન્વાર્યોમેન્ટ સર્વિસિસ કો-ઓપ. સો. લિ. વટવાના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયા સાથે ખાસ વાતચીત

સમગ્ર દુનિયામાં પર્યાવરણના સંરક્ષણ માટે દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણું જીવન પ્રકૃતિ છે, જેના વિના માનવ જીવન સંભવ નથી. આ તથ્યથી સૌ કોઇ પરિચિત છે, તેમ છતાં પણ મનુષ્ય સતત વિકાસ અને આધુનિકતાના ઝંખનામાં પર્યાવરણને નુક્શાન પહોંચાડી રહ્યો છે. બીજી રીતે કહીએ તો માનવની વિકાસ અને આધુનિકતાની ઝંખના તેને પ્રકૃતિથી ખૂબ જ દૂર લઇ જઇ રહી છે. પ્રકૃતિને નુક્શાન પહોંચાડી રહેલા મનુષ્ય સમયાંતરે તેની નુક્શાન પણ ભોગવે રહ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં આબોહવા પરિવર્તન તેની સાક્ષી પુરી રહ્યું છે. ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ..

આધુનિકતા અને વિકાસની દોડમાં પૃથ્વી પરથી વૃક્ષોનું નિકંદન થઇ રહ્યું છે, જેથી હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને ગીચ વસ્તી ધરાવતા શહેરો તો ઠીક પણ નાના શહેરોમાં પણ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. શહેરોમાં રહેતુ માનવ જીવન પ્રકૃતિ અને પર્યાવરણથી દૂર થઇ રહ્યું છે. જેને કારણે નવી નવી બિમારીઓ જન્મ લઇ રહી છે. ગત વર્ષે એટલે કે 2021ના વર્ષમાં આપણે કોરોના મહામારીમાં ઓક્સિજનના કારણે હારી જતી જિંદગીઓને જોઇ છે.

જોકે તમામ રીતે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જાગરૂકતા ફેલાવવા માટે દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેની ઉજવણી દર વર્ષે અલગ-અલગ થીમ સાથે કરવામાં આવે છે. આ વર્ષે પર્યાવરણ દિવસની થીમ છે. ‘ઓન્લી વન અર્થ’ એટલે કે ‘એક પૃથ્વી’ રાખવામાં આવે છે, જે યથાર્થતા ‘પ્રકૃતિની સાથે સદભાવમાં રહેવું’ તેમ થઇ શકે છે.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતના અગ્રણી ઉદ્યોગકારોએ વિશેષ રીતે પર્યાવરણ ટુડેના માધ્યમથી પોતાના વિચારો વહેંચી લોકજાગૃત્તિમાં પોતાનું યોગદાન આપ્યું. જેઓ પ્રકૃતિના સંરક્ષણ કરી લોકો કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે છે તેના પર પ્રકાશ પાડ્યો છે.

ધ ગ્રીન એન્વાર્યોમેન્ટ સર્વિસિસ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, વટવા જીઆઈડીસીના વાઇસ ચેરમેન પંકજ દઢાણિયાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ ટુડે સાથે વિશેષ વાતચીત કરી હતી અને લોકો સુધી પર્યાવરણ સંરક્ષણને લઇને પોતાના વિચારો વહેંચ્યા હતા. તેઓએ પર્યાવરણ ટુડે સાથેની વિશેષ વાતચીતમાં લોકોને પર્યાવરણને દૂષિત ન કરવા માટે અપીલ કરતા જણાવ્યું હતુ કે આગામી પેઢીની સ્વચ્છ પ્રકૃતિની ભેટ આપવી એ આપણા સૌની નૈતિક અને પવિત્ર ફરજ છે. જળ પ્રદૂષણ પર ભાર મૂકતા તેઓએ જણાવ્યું હતુ કે પેસ્ટીસાઇડ અને કેમિકલના નહિવત ઉપયોગ થકી જળ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય છે. પેટ્રોલ ડિઝલ અને કોલસા જેવા ઈંઘણના વપરાશને પણ નહિવત રાખીને પણ આપણે હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાય છે. આ સાથે આપણે વૃક્ષારોપણ થકી પણ પર્યાવરણને સંરક્ષિત રાખી શકાય છે, જેથી નિયમિત વરસાદ અને વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારી શકાય છે. જેથી આપણે આગામી પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપી શકીએ. જેથી તેઓનું સુખાકારી અને આરોગ્યપ્રદ જીવન મેળવી શકે. આ તમામ બાબતોને લઇને અમે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, તો તેમાં પ્રજાજનો જોડાય તેવો જનસંદેશ પણ હું આપના થકી પહોંચાડવા માંગુ છું. દરેક નાગરિક પર્યાવરણ સંરક્ષણને પોતાની પવિત્ર ફરજ સમજી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક દિવસ માટે પર્યાવરણ સંરક્ષણ માટે એક દિવસ ફાળવે અને વૃક્ષારોપણ સહિત પર્યાવરણ વિશે જગરૂકતા ફેલાવે તો તે પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે.