ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ અપાયું

પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ જિલ્લાઓનું વહીવટી તંત્ર જો ડિપ્રેશન વધુ તીવ્ર બને તો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યું છે, કેમ કે ભારતીય હવામાન વિભાગએ આગાહી કરી છે કે, તે ઓમાન તરફ જશે. પોલીસ, ફાયર બ્રિગેડ અને મહેસૂલ વિભાગનો સ્ટાફ પણ એલર્ટ મોડ પર છે. પોરબંદરના જિલ્લા કલેક્ટર એ. એમ. શર્માએ જણાવ્યું હતું કે, હાલમાં ત્યાં પવનનો વેગ વધારે નથી, પરંતુ અમે અમારા રક્ષકોને યથાવતરાખ્યા છે. અમે લગભગ ૨૮ ગામોને સતર્ક રહેવા માટે એલર્ટ કર્યા છે અને અમારી પાસે ચક્રવાત કેન્દ્રો છે, જો અમારે તાત્કાલિક જોખમઝોનમાંથી લોકોને સ્થળાંતર કરવાની જરૂર હોય તો પણ અમે પૂરતી તૈયારીમાં છીએ.

ડીપ ડિપ્રેશન પોરબંદરના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં લગભગ ૯૦ કિમી, ઓખાથી ૭૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અનેનલિયાથી ૧૫૦ કિમી દક્ષિણમાં કેન્દ્રિત છે. આગામી ૨૪ કલાકમાં તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ક્રમશઃ આગળ વધે તેવી શક્યતા છે. આડિપ્રેશનને કારણે દરિયાકાંઠાની નજીક રવિવાર અને સોમવારના રોજ ૪૦ થી ૬૫ કિમી પ્રતિ કલાકની વચ્ચે પવનની ઝડપની અપેક્ષા છેઅને આ બે દિવસોમાં દરિયાની સ્થિતિ ખૂબ જ તોફાની બનવાની શક્યતા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઉભરી રહેલી બદલાતી વરસાદની પેટર્ન અને ચક્રવાતની સ્થિતિને ધ્યાનમાંરાખીને, ભારતીય સેનાએ ભવિષ્યમાં જરૂર પડે તો બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે અમરેલી જિલ્લામાં સ્થાન શોધવાનું શરૂ કર્યુંછે. જ્યારે અમરેલીના કલેક્ટર ગૌરાંગ મકવાણાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, ભૌગોલિક રીતે, અમરેલી ચક્રવાતગ્રસ્ત જિલ્લાનાકેન્દ્રમાં છે, તેથી તેઓ અહીં એક આધાર બનાવવા માંગે છે, જેથી તેઓ ભવિષ્યમાં બચાવ કામગીરી માટે ભાવનગર, જૂનાગઢ, પોરબંદર,ગીર-સોમનાથ તરફ ઝડપથી આગળ વધી શકે. વર્તમાન પરિસ્થિતિ કોઈપણ પ્રકારના બચાવ કાર્યની માગ કરતી નથીસૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લા સત્તાવાળાઓ એલર્ટ પર છે, કારણ કે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં તીવ્ર બન્યું છે, જેના પરિણામે ભારે વરસાદ, ઝાકળવાળું વાતાવરણ અને ઉબડખાબડ સમુદ્ર (દરિયો તોફાની બનવાની)ની ધારણા છે.