ગીર સોમનાથ જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢ, ગીર સોમનાથ, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, માળિયા હાટીના તેમજ હિરણ ડેમના વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ છે. ભારે વરસાદના પગલે જે નુકસાન થયુ છે. તેનું હવાઈ નિરીક્ષણ કર્યુ છે. જેમાં મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ જોડાયા હતા.