પ્રતિબંધ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ ભારતના ડ્રગ્સ રેગ્યુલેટરે બાળકો માટે ઉધરસની દવાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને લેબલ પર સ્પષ્ટ ચેતવણીઓનો આદેશ આપ્યો છે. કફ સિરપથી વૈશ્વિક સ્તરે ૧૪૧થી વધુ બાળકોના મૃત્યુ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક રીપોર્ટ અનુસાર, નિયમનકારે કહ્યું કે અનુમતિ વિના શિશુઓમાં ઉધરસની દવાના પ્રચાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારબાદ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ દવા ન આપવાની ભલામણ કરવામાં આવી હતી.

આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત ૨૦૧૯થી બાળકોના મૃત્યુના મામલે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે કે અધિકારીઓએ દેશમાં બનેલી ઝેરી ખાંસીની દવાઓ સાથે જોડાણ કર્યું છે. ગયા વર્ષે ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં ઓછામાં ઓછા ૧૪૧ બાળકોના મોત થયા છે. ભારતમાં ૨૦૧૯માં દેશમાં બનાવેલ કફ સિરપ ખાવાથી ઓછામાં ઓછા ૧૨ બાળકો મૃત્યુ પામ્યા હતા અને અન્ય ચાર ગંભીર રીતે વિકલાંગ થઈ ગયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. આ મૃત્યુએ ભારતમાંથી થતી નિકાસની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જેને મોટાભાગે સસ્તા ભાવે જીવન રક્ષક દવાઓની આપૂર્તિના કારણે ‘દુનિયાની ફાર્મર્સી’ કહેવામાં આવે છે.

નિયમનકાર દ્વારા નક્કી કરેલા ફિક્સ્ડ-ડ્રગ કોમ્બિનેશન્સ (FDC) પર૧૮ ડિસેમ્બરે આદેશ જારી કરવામાં આવ્યો હતો અને બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રગ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોને ચેતવણી સાથે લેબલ કરવાની આવશ્યકતા છે કે FDCનો ઉપયોગ ૪ વર્ષથી નાના બાળકો માટે કરી શકાતો નથી. આ ફિકસ્ડ ડ્રગ્સ કોમ્બિનેશન ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇનથીબનેલું છે. આ દવાઓ માટેભાગે સિરપ અથવા ટેબલેટમાં સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે કરવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉધરસ અને શરદીના લક્ષણોની સારવાર માટે ઓવર-ધ-કાઉન્ટર કફ સિરપ અથવા દવાઓનો ઉપયોગ કરવાની ભલામણ કરતું નથી. ભારતે જૂનથી કફ સિરપની નિકાસ માટે ફરજિયાત પરીક્ષણો રજૂ કર્યા છે અને દવા ઉત્પાદકોની તપાસમાં વધારો કર્યો છે. દવાઓના ઉત્પાદકો જેમની કફ સિરપ બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલી છે, તેઓએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે.