AHSPAમાંથી મોટા એકમોની કાયમી વિદાય તો જ નાના એકમોનો ઉધ્ધાર
અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા ઔદ્યોગિક પ્રદૂષણને લઇને દરેક બાબત ચર્ચાના કેન્દ્રમાં રહેતી જોવા મળે છે. તેમાં પણ નાના એકમોના હિત સાથે સંકળાયેલી AHSPA થતી કોઈપણ ગતિવિધિ વિશેષ રીતે ચર્ચા પેદા કરે છે. આવી જ એક અપડેટના કારણે હાલ AHSPA ચર્ચાના કેન્દ્રમાં છે.
AHSPAના ટેક્નિકલ નિષ્ણાતની નિમણૂક… રિવોકેસન મુદ્દાઓ અંગે નિશાંત જોશી દ્વારા જણાવાયા છે સૂચનો
વાત જાણે એમ છે કે, અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા ટેકનિકલ નિષ્ણાત તરીકે નિશાંત જોશીની નિમણૂક કરવામાં આવેલ છે. નિશાંત જોશી નારોલ સીઇટીપીના ઇજારેદાર પણ છે જે તેમની દૂધ અને દહીંમાં પગ રાખવાની વૃતિ છતી કરે છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તારીખ 15 ફેબ્રુઆરી 2025ના પત્રમાં જણાવેલ રિવોકેસન અંગેના મુદ્દાઓ અંગે નિશાંત જોશી દ્વારા સૂચનો જણાવવામાં આવેલ છે જે અનુસાર પ્રથમ ચરણમાં જીપીસીબી પાસેથી તેઓ ત્રણ એમએલડી માટે મંજૂરી મેળવવામાં આવશે જેમાં તેઓ નાના એકમોના ભોગે મોટા એકમોને તેઓની બુકિંગ કરાવેલ ક્ષમતાના 50% જથ્થા સુધી ગંદુ પાણી છોડવાની શરતે સીઇટીપીમાં સમાવવા માંગે છે. તબક્કા વાર દરેક ચરણમાં તેઓ આ પ્રમાણે જ કાર્યવાહી કરવા જણાવેલ છે. જો મોટા એકમના સ્થાને નાના એકમોને પ્રાધાન્ય આપવામાં આવે તો એક મોટા એકમના સ્થાને અનેક નાના એકમોનો સમાવેશ થઈ શકે છે. એસોસિએશન નાના એકમોને ધ્યાનમાં રાખી પ્રથમ મૂળ સદસ્ય એવા નાના એકમોને જ પાણી છોડવાની મંજૂરી આપી જોઈએ. જોકે, નિશાંત જોશી મોટા એકમોના હિતમાં કામ કરી રહ્યા હોય તેવી છબી ધરાવતા હોવાની ચર્ચા પણ છે.
શાના માટે સીઇટીપી ચાલુ થવામાં આવી રહ્યું છે વિઘ્ન?
જીપીસીબીની અન્ય એક શરત અનુસાર જે મોટા એકમો પાસે મોટા જથ્થામાં ગંદુ પાણી છોડવાની જીપીસીબીની મંજૂરી છે. જે સીઇટીપીના સદસ્ય થવા માટે ઘટાડ્યા હોવાની રજૂઆત કરેલ છે જે સાબિત કરવા તેઓની વધારાની મશીનરી દૂર કરી તેના પુરાવા રજુ કરવા જણાવેલ છે. પરંતુ મોટા એકમો દ્વારા બેંકની લોન લઈ આ મશીન લગાડેલ હોવાથી તેઓ દૂર કરવા માંગતા નથી જેના કારણે સીઇટીપી ચાલુ થવામાં વિઘ્ન આવી રહ્યું છે.
મોટા એકમોને એસોસિએશનમાંથી દૂર કરાય તેવી નાના એકમોની માંગની ચર્ચા
સીઈટીપી ફરીથી ચાલુ કરવામાં વિઘ્નરૂપ બનતા આ મોટા એકમોને એસોસિયેશનમાંથી કાયમ માટે દૂર કરવા માટે નાના એકમોની માંગ ઉગ્ર બનેલ હોવાનું ચર્ચાઈ રહેલ છે. હાલમાં સૌથી વધુ નુક્શાન નાના એકમો ભોગવી રહ્યાં છે, જ્યારે મોટા એકમો જીપીસીબીના ક્ષેત્રીય અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ગેરકાયદેસર રીતે તેઓના એકમો ચાલુ રાખતા હોવાના કારણે માત્ર નાના એકમોને નુક્શાન સહન કરવાનું આવે છે તેવી ચર્ચા પેદા થતી જોવા મળી રહી છે.
*File Photo