જાપાનમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામી અંગે એલર્ટ જાહેર

જાપાનમાં શનિવારે ભૂકંપના તેજ આંચકા આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા ૭.૨ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર શનિવાર બપોરે દેશની રાજધાની ટોક્યોની નજીક ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી ૩૬૨ કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભારતીય સમય અનુસાર ભૂકંપ ૨.૩૯ બપોરે આવ્યો હતો અને એ ૭૭ કિલોમીટર ઊંડો હતો. જાપાનની મીટિરિયોલોજિકલ એજન્સીએ ભૂકંપના આંચકા પછી સુનામીની એડવાઇઝરી જારી કરવામાં આવી છે. એજન્સીએ કહ્યું હતું કે મિયાગી ક્ષેત્રમાં પ્રશાંત મહાસાગરમાં ૬૦ કિલોમીટર અંદર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

જેએમએના અનુસાર વર્ષ ૨૦૧૧માં ભૂકંપ અને સુનામીથી પ્રભાવિત ક્ષેત્ર મિયાગીમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. એજન્સીએ એક મીટર ઊંચાઈવાળી લહેરોની સુનામી આવવાની ચેતવણી જારી કરવા આવી છે.

ભૂકંપથી મિયાગીના અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે. અહીં જાપાનનો એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પણ છે, જે હાલ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગત મહિને જાપાનના પૂર્વી સમુદ્રકાંઠે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ સમયે સુનામીની કોઈ જ ચેતવણી જાહેર કરાઈ ન હતી. હજી સુધી આ ભૂકંપથી કોઈ મોટા જાનમાલના નુકસાન નથી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ૧૧ માર્ચે જાપાનમાં આવેલી ભયંકર સુનામીને દસ વર્ષ પૂરા થયા હતા. તે સમયે ભૂકંપને લીધે છથી દસ મીટર ઊંચા સુનામીના મોજાએ વિનાશ વેર્યું હતું. જાપાનના દરિયાકાંઠાથી લઇને દસ કિલોમીટર અંદર સુધી સુનામીએ વિનાશ નોતર્યું હતું. તેમાં ૧૮ હજાર લોકોનાં મોત નિપજ્યાં હતાં.

આ પહેલાં ૫ માર્ચે ન્યૂઝીલેન્ડના ઉત્તરી-પૂર્વી કાંઠે ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ બાદ આ વિસ્તારમાં સુનામીનું અલર્ટ જાહેર કરાયું હતું. ભૂકંપ ઉત્તરી આઈસલેન્ડની પાસે કેરમાડેક દ્વીપ પર આવ્યો હતો. જાહેર થયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે કાંઠાના વિસ્તારો નજીક રહેતા લોકોએ તાત્કાલિક ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું જોઈએ.