વર્લ્ડ ટર્ટલ ડે: કાચબાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અદાણી પોર્ટનું ખાસ યોગદાન

વડોદરા:  IUCN દ્વારા “સંવેદનશીલ” પ્રજાતિઓની સાર સંભાળ દર વર્ષે 23 મેના રોજ ઉજવાતો વિશ્વ કાચબા દિવસ એક વાર્ષિક તહેવાર જેવો છે. કાચબા પ્રજાતિઓના સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી દુનિયાભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દરિયાકિનારે આવતા કાચબાઓના સંરક્ષણ માટે અદાણી પોર્ટ ખુબ જ કાળજી લઈ રહ્યું છે. તાજેતરમાં પ્રાપ્ત માહિતી અનુસાર અદાણી પોર્ટે કાચબા પ્રજાતિઓને બચાવવા માટે વિવિધ પહેલ અને કરી આગોતરા પગલાંઓ લીધા છે.

ઓડિશાના દરિયાકાંઠે રહેતી તમામ દરિયાઈ કાચબા પ્રજાતિઓને IUCN દ્વારા “સંવેદનશીલ” જાહેર કરવામાં આવી છે. અદાણી પોર્ટ દ્વારા લુપ્તપ્રાય ઓલિવ રિડલી પ્રજાતિઓના રક્ષણ માટે વ્યાપક ઉચ્ચસ્તરીય વ્યૂહરચનાની પહેલનો કરવામાં આવી છે. કાચબાના સંરક્ષણ માટે અદાણી ધામરા બંદરનું યોગદાન ઉલ્લેખનીય છે. જેમાં તેમની સંવનનથી લઈને જીવનરક્ષા સુધીના તમામ પાસાઓ આવરી લેવાયા છે.

કાચબાના સંરક્ષણ માટે ધામરા બંદર અને ટાઉનશીપ વિસ્તારમાં ખાસ ડિઝાઇન કરાયેલ “ડાર્ક સ્કાય ફ્રેન્ડલી” લાઇટ્સ લગાવવામાં આવી છે. કાચબાની હિલચાલ સુરક્ષિત રાખવાના હેતુથી બંદર અને IUCN ના કાચબા સંરક્ષણ નિષ્ણાતો સાથે પરામર્શ કરીને તેની ડિઝાઇન કરવામાં આવી છે. વળી ડ્રેજિંગ કરતી વેળાએ કાચબાઓને કોઈ નુકશાન ન થય તે માટે ટ્રેલર સક્શન હોપર ડ્રેજર (TSHD) નો ઉપયોગ કરવામાં આવે છે.

અદાણી પોર્ટ દ્વારા કાચબાઓના સ્થળાંતર દરમિયાન પેટ્રોલિંગ માટે વન વિભાગને દરિયાઈ ટ્રોલર પૂરું પાડવામાં આવે છે. બંદર વિસ્તાર અને નેવિગેશન ચેનલ કાચબા મંડળી વિસ્તારની બહાર રાખવામાં આવ્યા છે. તો માછીમાર બોટ્સના પ્રવેશને રોકવા સીમાંકન માટે પુરતી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. એટલુ જ નહીં, બંદર વિસ્તાર અને તેની નેવિગેશન ચેનલને કાચબા મંડળ વિસ્તારની બહાર રાખવામાં આવ્યો છે.

માછીમાર સમુદાયોમાં કાચબાઓના સંવર્ધન માટેની જાગૃતિ અત્યંત જરૂરી છે. તે ઉદ્દેશને ધ્યાનમાં રાખી મેંગ્રોવ અને કાચબા સંરક્ષણ માટે માછીમાર સમુદાયોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવા સહાય પૂરી પાડવામાં આવે છે. 2024-25 દરમિયાન ગહીરમાથા ખાતે લગભગ 6.04 લાખ ઓલિવ રિડલી દરિયાઈ કાચબાના રહેઠાણો નોંધાયા હતા.

IUCNની ભલામણોના આધારે લાઇટિંગ અને ડ્રેજિંગ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. “ડાર્ક સ્કાય ફ્રેન્ડલી” લાઇટ્સની ખાસ ડિઝાઇનથી સમુદ્ર તરફ અને કાચબા મંડળ વિસ્તારમાં ઝગઝગાટ પ્રસારિત થતો નથી,, તેથી કાચબાઓના આવાગમનમાં પણ અવરોધ થતો નથી. વળી કાચબાઓના સંવનન, મંડળ, માળો અને ઇંડામાંથી બહાર નીકળવાના સમયગાળા દરમિયાન પોર્ટ સરકાર સાથે સહયોગી પ્રયાસો કરે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news