વિચાર વૈશ્વિક ભલે હોય પણ બિઝનેસ સ્થાનિક પર્યાવરણને ધ્યાનમાં રાખીને કરોઃ ટેસ્લા પાવરના સીઈઓ

એક્સએલઆરઆઇ જમશેદપુરનું પીજીડીએમ (જીએમ) તરફથી ઓપરેશન એન્ડ સપ્લાઇ ચેન કોન્કલેવ ક્લોકસ્પીડ 3.0નું આયોજન કરવામાં આવ્યું. તેમાં દેશ તથા દુનિયાના અનેક પ્રસિદ્ધ કંપનીઓના એમડી તેમજ તેમના પ્રતિનિધિઓએ ભાગ લીધો. એક્સએલઆરઆઇના પ્રોફેસર આલોક રાજે તમામ ઉપસ્થિતોનું અભિવાદન કરી જણાવ્યું કે આજના સમયમાં પઠન-પાઠનમાં ઇન્ડસ્ટ્રી તથા એકેડેમિયાની વચ્ચે સમાયોજનની જરૂરિયાત છે. જેથી વિદ્યાર્થી કાલે જ્યારે કોઇ કંપનીના કર્મચારીઓ બને છે કે તેનું પ્રતિનિધિત્વ કરે છે તો તેમને દરેક બિંદુની સારી જાણકારી હોય. આ ઉદ્દેશથી એક્સએલઆરઆઇ તરફથી ઑપરેશન એન્ડ સપ્લાઇ ચેન કોન્કલેવ ક્લોકસ્પીડ 3.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે મુખ્ય વક્તા રૂપે યૂએસએના ટેસ્લા પાવરના સીઈઓ એપીએસી સુભાષ આર્ય ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જણાવ્યું કે આજના સમયમાં વર્લ્ડ ફંક્શનિંગમાં સપ્લાય ચેન મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે આપણે વિશ્વ સ્તર પર વિચારવું જોઇએ, પરંતુ વિશ્વ સ્તર પર વેપાર કરતા સમયે હંમેશા માત્ર સ્થાનિક સ્થિતિને પણ તેટલૂં જ મહત્વ આપવું જોઇએ. સપ્લાય ચેન મેનેજમેન્ટમાં કાર્યને ભૂમિ પર ઉતારવાની ગતિ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સપ્લાય ચેન મેનેજમેન્ટમાં તમામ પારસ્પરિક રીતે જોડાયેલું છે. તેમણે ડિમાંડ કેપ્ચરિંગ સહિત અન્ય અનેક મહત્વપૂર્ણ બાબતોમાં ટેક્નોલોજીની જરૂરિયાતો પર જોર આપ્યું.

ત્યારબાદ, “સપ્લાય ચેન એનાલિટ્ક્સઃ શેપિંગ ધ ફ્યૂચર ઑફ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેન મેનેજમેન્ટ” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આજન કરવામાં આવ્યું હતુ. જેમાં ચેનાલિટિક્સના એમડી મિલિંદ કાનિટકર, મેનકાઇંડ ફાર્મા લિમિટેડના પ્રેસિડેંટ ઑપરેશંસ અભય શ્રીવાસ્તવ, ડીએચએલ સપ્લાય ચેન ઈન્ડિયા પ્રા. લિ.ના ઑપરેશન ડાયરેક્ટર ઇસ્ટ સૌમોવ કુંડૂ, ઇમામી એગ્રીટેક લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ તથા સપ્લાય ચેનના પ્રેસિડેન્ટ પુષ્કર મુખર્જી, સિલિયસ લોજિસ્ટિક સૉલ્યૂશમસ પ્રા. લિ.ના સંસ્થાપક રજનીશ રમન તથા એક્સએલઆરઆઇ પીજીડીએમ (જીએમ)ના સંજના વાર્ષ્ણેયે ભાગ લીધો હતો.