ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, નવદંપતિને આપ્યા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાને મંત્રી બલવંતસિહ રાજપૂતના દીકરાના સત્કાર સમારંભમાં હાજરી આપી હતી. પીએમ મોદીના આગમનને લઇને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આનંદ સાથે તેમનું સ્વાગત કર્યું હતુ. પીએમ મોદીએ બલવંતસિંહના દીકરા અને પુત્રવધુને સ્ટેજ પર જઈને આશીર્વાદ આપ્યા હતા.

પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા સાઇટ ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી. જે પોસ્ટમાં તેમણે લખ્યું હતુ કે જ્યાં આશીર્વાદ રાષ્ટ્રનાયકના શુભહસ્તે મળે, ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં; પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે… અમારા આમંત્રણને સ્વીકારી, સુપુત્રના લગ્નના સત્કાર સમારંભમાં પધારીને નવદંપતીને આશીર્વચન રૂપે કૃતાર્થ કર્યા છે. ભારતનું ગૌરવ, ગુજરાતના સપૂત એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી શ્રી@narendramodi સાહેબનો અપાર પ્રેમ અને અવિસ્મરણીય સ્નેહ, નવદંપતીને ભાવી જીવન માટે પ્રેરણા આપશે. માનનીય પ્રધાન મંત્રી સાહેબની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવયુગલના જીવનમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવી  ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં અમારા પરિવારના મંગલ અવસર પર પ્રધાનસેવકની આ પ્રેરક ઉપસ્થિતિની ક્ષણો સદાય અમારા માટે જીવનભરની યાદગાર પળો બની રહેશે.

ફોટો સૌજન્યઃ સોશિયલ મીડિયા

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news