અદાણી ફાઉન્ડેશને ભરુચના દહેજ અને નેત્રંગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી

વડોદરા : વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરુચ જિલ્લાના દહેજ વિસ્તારના લુવારા અને નેત્રગ વિસ્તારના કોલીયાપાડા ગામમાં અદાણી ફાઉંડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી યોજ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના પ્રસંગે અદાણી પોર્ટના મરીન હેડ ગિરિશ ચંદ્રા, અદાણી ઓસિયન સ્પાર્કલ લિમિટેડના હેડ અંકિત અગ્રવાલ, દહેજ મરીન પોલીસ ડી.વાય.એસ.પી. ખરાડી, લુવારા ગામના સરપંચ, ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો તથા ઉત્થાન પ્રોજેક્ટ્ના બાળકો તેમજ અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામા આવી હતી. પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા અને તેને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી વિવિધ જાતના વૃક્ષોનું વાવેતર કરી એક પ્રભાવશાળી કાર્યક્રમની પહેલ અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા કરવામા આવી છે.

અદાણી ફાઉંડેશન દ્વારા આખા વર્ષ દરમ્યાન કુલ ૧૦,૦૦૦થી પણ વધુ વૃક્ષોનુ વાવેતર કરવાનું લક્ષ્ય છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર લોકોએ પર્યાવરણના જતન અને સંરક્ષણ અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને અદાણી ફાઉન્ડેશનના એક વર્ષમાં આ દહેજ અને નેત્રંગ વિસ્તારમાં ૧૦,૦૦૦થી વધુ વૃક્ષોના રોપણ અને ઉછેરના લક્ષ્યમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news