દેશમાં શોર્ટ સર્કિટના કારણે વર્ષમાં આશરે ૨૪,૦૦૦ આગના બનાવ બન્યા

ઉનાળો શરૂ થાય એટલે આગના બનાવોમાં વધારો જોવા મળતો હોય છે. આગના બનાવોમાં કેવી તકેદારી રાખવી અને આગના બનાવોને રોકવા અંગે શું કરવું જોઈએ તેને લઈને નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ ઇન્ડિયા દ્વારા લોકોને જાગૃત કરવા પ્રયાસ હાથ ધરાયો. અમદાવાદમાં નેશનલ ઈલેક્ટ્રીકલ કોડ ઓફ ઈન્ડિયા દ્વારા બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ફાયર બ્રિગેડના અધિકારી, BIS ના સભ્ય તેમજ ઇલેક્ટ્રિકલ એન્જીનીયર હાજર રહ્યા હતા.

વર્કશોપમાં આગની ઘટનાને લઈને ચર્ચાઓ કરવામાં આવી. આ દરમિયાન ખાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના પર વિશેષ ચર્ચા કરવામાં આવી. ચર્ચા દરમિયાન તારણ બહાર આવ્યું કે શોર્ટ સર્કિટના બનાવ અંગે લોકોમાં રહેલી જાગૃતિના અભાવના કારણે આગના બનાવ બનતા હોય છે. જેમાં હલકી ગુણવત્તાના વાયર અને મીટરના લોડ કરતા વધુ પડતા લોડનો ઉપયોગ કરવો અને અયોગ્ય ફિટિંગના કારણે આગ લાગવાનું તારણ મનાઈ રહ્યું છે. જેમાં ક્યાંક વાયરમેન અને કોન્ટ્રકટરની પણ બેદરકારીના કારણે આગ લાગતી હોવાનું પણ અનુમાન લગાવાયું છે.એક અંદાજ પ્રમાણે આ તમામ બાબતોના કારણે દેશમાં એક વર્ષમાં ૨૪ હજાર આગના બનાવ બન્યા છે. જે અંગે આજે નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ ઓફ ઇન્ડિયા ૨૦૨૩ના વર્કશોપમાં માહિતી જાહેર કરવામાં આવી. જે બનાવો ન બને માટે વર્કશોપમાં હાજર BIS ના અધિકારીએ લોકોને જાગૃત બનવા અને યોગ્ય ગુણવત્તાવાળા વાયરનો ઉપયોગ કરવા, યોગ્ય ફિટિંગ કરવા પર ભાર મુક્યો. જેથી શોર્ટ સર્કિટના બનાવો ને ટાળી શકાય.દેશમાં દર વર્ષે આશરે ૨૪,૦૦૦ આગના બનાવ શોર્ટ સર્કિટના કારણે બને છે. જેમાં રહેણાંક વિસ્તારોમાં આગના બનાવ ૬.૩% બને છે. તો રહેણાંક મકાનમાં વિદ્યુત આગ મોટાભાગે એક અથવા બે પરિવારના નિવાસોમાં (૮૩%) જોવા મળે છે.હીટીંગ એપ્લાયન્સીસ અને લાઇટના વધતા ઉપયોગને કારણે રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિકલ આગના બનાવો મોટા ભાગે શિયાળામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં (૧૨%) બને છે.

રહેણાંક મકાનની ઇલેક્ટ્રિકલ આગમાં મોટાભાગે પ્રથમ વખત સળગાવવામાં આવતી અગ્રણી વિશિષ્ટ વસ્તુઓ વિદ્યુત વાયર, કેબલ ઇન્સ્યુલેશન (૩૧%) અને માળખાકીય સભ્ય અથવા ફ્રેમિંગ (૧૮%) હતી. રહેણાંક મકાનના ઇલેક્ટ્રિકલ આગમાં ફાળો આપતા અગ્રણી વિશિષ્ટ પરિબળોમાં અન્ય વિદ્યુત નિષ્ફળતા (૪૩%), અનિશ્ચિત શોર્ટ સર્કિટ (૨૩%) અને ખામીયુક્ત, ઘસાઈ ગયેલા ઇન્સ્યુલેશન (૧૧%) થી શોર્ટ સર્કિટ થઈ હતી.ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રીકલ ફાયર સેફ્ટી ગ્રૂપ અનુસાર, તમામ રહેણાંકમાં લાગેલી આગમાં ઇલેક્ટ્રિકલ આગનો હિસ્સો ૬.૩% છે, જેમાં દર વર્ષે અંદાજે ૨૪,૦૦૦ આગની જાણ કરવામાં આવે છે.આ ઉપરાંત વર્કશોપમાં ઉપસ્થિત ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ તાજેતરમાં મીઠાખડી વિસ્તારમાં આદિત્ય કોમ્પ્લેક્સમાં લાગેલી ઇલેક્ટ્રિક આગ દરમિયાન કેવી રીતે રેસ્ક્યુ કરાયુ તેનું ઉદાહરણ આપી. લોકોને જાગૃત બનવા અપીલ કરી તેમજ ઇલેક્ટ્રિકલ આગ નિવારણના સરળ ઉપાયો પણ જણાવ્યા હતા.