સહારનપુરમાં પ્રદૂષણ ફેલાવવા બદલ પેપર મિલને 12.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

સહારનપુર: ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્દેશોનું પાલન કરીને સ્ટાર પેપર મિલ પર 12 લાખ 90 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડૉ. દિનેશ ચંદ્ર પાંડેએ રવિવારે જણાવ્યું કે પેપર મિલના સંચાલકોને દંડની રકમ વહેલી તકે જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

ડૉ. પાંડેએ માહિતી આપી હતી કે કિસાન સહકારી સુગર મિલ નાનૌટા, દયા સુગર મિલ અને ગટ્ટા બોર્ડ મિલ સહિત પાંચ એકમોને નોટિસ આપવામાં આવી છે. બોર્ડના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ટેક્સટાઇલ ડાઇંગના પાંચ યુનિટ બંધ કરવામાં આવ્યા હતા. તેમણે માહિતી આપી હતી કે નમામી ગંગે હેઠળ જિલ્લામાં 135 એમએલડી ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલી રહી છે. કૃષ્ણા નદી પર બે ચેકડેમ બનાવવામાં આવ્યા છે અને પાવધોઈ નદી પર ટૂંક સમયમાં બે નવા ચેકડેમ બનાવવામાં આવનાર છે. જેમાંથી એક પાંવધોઈ નદીના ઉદગમ સ્થાન સંકલપુરી મંદિરના અપસ્ટ્રીમ અે ડાઉનસ્ટ્રીમ સ્થાવામાં આવશે.

તેમણે કહ્યું કે નદીના પાણીમાં બાયો-કેમિકલ ઓક્સિજનનું પ્રમાણ ત્રણથી ચાર મિલિગ્રામ પ્રતિ લિટર હોવું જોઈએ. સ્ટાર પેપર મિલમાંથી કચરા સ્વરૂપે છોડવામાં આવતું રંગીન પાણી તેનો પુનઃઉપયોગ કર્યા પછી પણ પ્રદૂષિત રહે છે. તેને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે વધુ ક્ષમતાનો પ્લાન્ટ સ્ટાર પેપર મિલ સ્થાપવાની પ્રક્રિયામાં છે.

અધિકારીએ જણાવ્યું કે પૌંડોઈ નદી પર 21 નગ બાયોરિમેડિયેશન ચેકડેમ બાંધવામાં આવ્યા છે. હિંડોન નદી પાસે 500 મીટરના વિસ્તારમાં કરાયેલા સર્વેમાં 45 હજારની વસ્તીમાં આઠ કેન્સરના દર્દીઓ મળી આવ્યા છે. પ્રદુષિત પાણીથી થતા રોગ અંગે ચીફ મેડિકલ ઓફિસરે તપાસ હાથ ધરી છે. ખુજનાવર અને જાજનેર ગામમાં ચામડીના રોગના અનેક દર્દીઓ મળી આવ્યા છે.