કોલંબિયામાં ભૂસ્ખલનની તબાહીમાં ૧૪ના મોત

પશ્ચિમ કોલંબિયાના રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા છે અને અન્ય ૩૫ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પરેરા નગરપાલિકાના રિસારાલ્ડામાં જીવલેણ ભૂસ્ખલન બાદ એક વ્યક્તિ ગુમ થયાની પણ જાણ છે. પરેરાના મેયર કાર્લોસ માયાએ જણાવ્યું કે, ભૂસ્ખલનને કારણે ૧૪ લોકોના મોત થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં ભૂસ્ખલનનો ભય છે. તેમણે લોકોને સ્થળ ખાલી કરવા અપીલ કરી હતી જેથી કરીને વધુ કોઈ જાનહાનિ ન થાય. ભૂસ્ખલનને કારણે જે ઘરો પ્રભાવિત થયા છે તેમાંના મોટાભાગના લાકડાના બનેલા હતા. રેસ્ક્યુ ટીમોએ ૬૦થી વધુ ઘરોને ખાલી કરાવ્યા છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિ ઇવાન ડ્યુકે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મેયર કાર્લોસ માયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. તેમણે લોકોને અપીલ પણ કરી છે કે ભૂસ્ખલન હજુ પણ ચાલુ છે. આવી સ્થિતિમાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. મુશળધાર વરસાદને કારણે આ દુર્ઘટના બની હતી. જેના કારણે ભૂસ્ખલન થયું હતું. પછી પરેરાના લા એસ્નેડામાં ઘણા ઘરો પર ખડકો પડ્યા. તે મધ્ય રિસારાલ્ડા પ્રાંતની રાજધાની છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યા પછી, ડ્યુકે નેશનલ રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ડિઝાસ્ટર યુનિટને “જરૂરી હોય ત્યારે દરમિયાનગીરી કરવા તૈયાર”રહેવા જણાવ્યું હતું. પરેરાના મેયર કાર્લોસ માયાએ જણાવ્યું કે, મૃતકોમાં બે સગીરનો સમાવેશ થાય છે. કેટલાક મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. કારણ કે અત્યારે પણ તે જોખમી વિસ્તાર છે. અહીં ભસ્મીભૂત થવાનો ભય રહેશે. દરમિયાન સ્થાનિક મીડિયાએ ૧૪ મૃત્યુના અહેવાલ આપ્યા છે, અધિકારીઓનું કહેવું છે કે, ગુમ થયેલા લોકોની સંખ્યા હજુ સુધી સ્પષ્ટપણે જાણી શકાયું નથી. મેયરે કહ્યું કે, લગભગ ૨૫ વર્ષ પહેલા આ વિસ્તારમાં આવી જ દુર્ઘટના બની હતી. ત્યારથી, દર વખતે શિયાળામાં નદીનું પાણી વધે છે.

“ઓટુન નદીના કાંઠે ઘણી વખત પૂર આવ્યું છે અને જો કે અમે તે વિસ્તારને સાફ કરી દીધો છે જેથી લોકો તે જોખમ હેઠળ જીવે નહીં,” તેમણે કહ્યું. હવે અમે મૃતદેહોને શોધી રહ્યા છીએ. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.