કેરળમાં બે, કર્ણાટકમાં ચારનાં મોત, ગોવામાં મુશળધાર વરસાદ

તાઉ-તે વાવાઝોડા પહેલાનો વિનાશ
ગુજરાત-મહારાષ્ટ્રમાં પણ એલર્ટ, સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને પણ ૧૭-૧૮ મે માટે બંધ કરી દેવામાં આવી, અમિત શાહે બેઠક યોજી સમીક્ષા કરી
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યો પર અરબ સાગરમાં સર્જાયેલા વાવાઝોડા તાઉ-તેનો ખતરો છે. કર્ણાટકના ૬ જિલ્લામાં તેની ઘણી ખરાબ અસર પડી છે. આ જિલ્લાઓના ૭૩ ગામને વાવાઝોડાના કારણે અસર થઈ છે.

તાઉ-તે વાવાઝોડું ગોવાના દરિયાકિનારે ટકરાયું છે. ત્યાં પણજીમાં આની અસર જાેવા મળી છે. ચક્રવાતી તોફાનના જાેરપકડવાની શક્યતા જાેતા ગુજરાતને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. શનિવાર રાત્રે જ અનેક કોવિડ દર્દીઓને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા હતા. વગર વાવાઝોડાએ કેરળમાં અસર માત્રથી ૨ મોત થયા છે જ્યારે કર્ણાટકમાં ૪ મોત થયા છે. રાજ્યમાં કુલ ૭૩ ગામ આનાથી પ્રભાવિત થયા છે.

સુરત હજીરાથી ભાવનગર વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસને પણ ૧૭-૧૮ મે માટે બંધ કરી દેવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં પોરબંદરના ૩૦ ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં વાવાઝોડાને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. પીએમ મોદીએ તૌકતે વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીઓની માહિતી લેવા માટે શનિવારના રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને એજન્સીઓની સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી અને સંબંધિત અધિકારીઓને લોકોને સુરક્ષિત જગ્યા પહોંચાડવા તથા વીજળી, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પીવાના પાણી જેવી જરૂરી સેવાઓની વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા છે.

ચક્રવાતી તોફાન તૌકતેની અસર ફ્લાઇટ્‌સ પર પણ પડી છે. વિસ્તારા તરફથી કહેવામાં આવ્યું છે કે અરબ સાગરમાં ખરાબ હવામાનની શક્યતાના કારણે વિસ્તારા તરફથી કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ, તિરુવનંતપુરમ, કોચ્ચિ, બેંગ્લોર, મુંબઈ, પુણે, ગોવા અને અમદાવાદ માટે ફ્લાઇટ ૧૭ મે, ૨૦૨૧ સુધી પ્રભાવિત રહેવાની શક્યતા છે. ચક્રવાતી તોફાનના કારણે કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દરિયાકિનારાના વિસ્તારોમાં આની અસર વધારે જાેવા મળી છે. કુલ ૭૩ ગામો પ્રભાવિત થયા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ૪ લોકોના મોત થયાની માહિતી મળી છે.