અમદાવાદના મહાનુભાવો દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, 2021ના વિમોચન પર ચર્ચા

અમદાવાદ સસ્ટેનેબિલિટી કોન્ક્લેવના અવસર પર અમદાવાદના મહાનુભાવો દ્વારા આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ, 2021નું વિમોચન કરવામાં આવ્યું હતું અને તેના પર ચર્ચા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર દિવસ નિમિત્તે આ પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી દ્વારા “પર્યાવરણના રક્ષણમાં યુનિવર્સિટીઓ અને નાગરિક સમાજની ભૂમિકા”પરનો અહેવાલ પણ  બહાર પાડવામાં આવ્યો હતો અને 17 ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)ના પાલન માટે એક રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી. આ રિપોર્ટ 17 ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs) માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આમ વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરીને JGU કોવિડ-19 મહામારીથી ઊભા થયેલા પડકારો છતાં, તેના કેમ્પસમાં SDGsનો સંપૂર્ણ અમલ કરનારી પ્રથમ યુનિવર્સિટીઓમાંની એક બની છે. સંયુક્ત રાષ્ટ્ર દિવસ 2021ના અવસર પર, ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી આ વર્ષના ટકાઉ વિકાસ લક્ષ્યોને અમલમાં મૂકનારી આ પ્રકારની પ્રથમ યુનિવર્સિટી છે.

ગુજરાતની ભૂતપૂર્વ રાજધાની અમદાવાદમાં પર્યાવરણના રક્ષણમાં યુનિવર્સિટીઓ અને નાગરિક સમાજની ભૂમિકા પર એક સસ્ટેનેબિલિટી કોન્ક્લેવમાં ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી પર ટેરી, ટ્રસ્ટ લીગલ, મધુસુદન હનુમપ્પા અને મજાર દ્વારા તૈયાર કરવામાં આવેલા “સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2021”નું વિમોચન,  6 ડિસેમ્બર, 2021, સોમવારની સાંજે 5 વાગ્યે, અમદાવાદના એલિસબ્રિજમાં ગુજરાત કોલેજની સામેના ફૉર પોઇન્ટ બાય શેરેટોનમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સન્માનિત મહેમાનો એમ.એસ.સોનલ મિશ્રા, આઈએએસ, કમિશનર, સચિવ ગ્રામ વિકાસ, ગ્રામીણ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, પ્રોફેસર (ડૉ.) શૈલેન્દ્ર રાજ મહેતા, અધ્યક્ષ અને નિયામક, MICA, પ્રોફેસર (ડૉ.) એસ. શાંતકુમાર, નિયામક, ગુજરાત નેશનલ લૉ.યુનિવર્સિટી, ડો. દિનેશ કુમાર શર્મા, IFS, પ્રિન્સિપલ ચીફ, કન્ઝર્વેશન ઑફ ફોરેસ્ટ હેડ, ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત સરકાર, શ્રી અનુરાગ બત્રા, અધ્યક્ષ અને મુખ્ય સંપાદક, બિઝનેસવર્લ્ડ, સુશ્રી પરિધિ અદાણી, પાર્ટનર (પ્રમુખ – અમદાવાદ), સાઇરિલ અમરચંદ મંગલદાસ, પ્રોફેસર (ડૉ.) પૂર્વી પોખરિયાલ, ડીન, સ્કૂલ ઑફ લૉ, ફોરેન્સિક જસ્ટિસ એન્ડ પોલિસી સ્ટડીઝ, નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર, શ્રી કાર્તિકેય વિક્રમ સારાભાઈ, સ્થાપક અને ડાયરેક્ટર, સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, શ્રી સુધીર મિશ્રા, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર કાનૂની વકીલ, ટ્રસ્ટ લીગલ, સલાહકાર અને JGU પર SDR 2021 ના ​​સહ-લેખક તથા ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ પ્રો. (ડૉ.) સી રાજ કુમાર હતા. ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઑફ લૉ એડમિશન્સસ, પ્રોફેસર આનંદ પ્રકાશ મિશ્રાએ તમામ મહેમાનોનો આભાર માન્યો હતો.

સંયુક્ત રાજ્ય એસડીજીમાં સસ્તી અને ટકાઉ ઊર્જા, જળવાયુ પરિવર્તનનો સામનો કરવો, ભૂખનું નિવારણ, શિક્ષણ, આરોગ્ય અને લૈંગિક સમાનતાનો સમાવેશ થાય છે. એસડીજીના અમલીકરણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે, જેજીયુ તેના કેમ્પસના સ્વતંત્ર મૂલ્યાંકનમાં વ્યસ્ત છે અને સંયુક્ત રાજ્ય એસડીજીના અમલમાં યુનિવર્સિટીની પ્રગતિ અંગે એક પારદર્શક અને ન્યાયી અભિગમ હાંસલ કરવા પહેલ કરી રહી છે. એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI), ટ્રસ્ટ લીગલ, એડવોકેટ્સ અને કન્સલ્ટન્ટ્સ અને મજાર્સ બિઝનેસ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ સહિત પર્યાવરણીય અને કાયદાકીય ક્ષેત્રોના 12 મૂલ્યાંકનકારોના એક સમૂહે યુનિવર્સિટીની ઊર્જા વપરાશથી લઈને જળ વ્યવસ્થાપન પદ્ધતિઓ અને સામુદાયિક કાર્યની પહેલ સુધીની યુનિવર્સિટીની પ્રક્રિયાઓનું સખત મૂલ્યાંકન કર્યું.

આ અહેવાલનું લોકાર્પણ એવા યોગ્ય સમયે થયું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના નેતાઓ ગ્લાસગોમાં COP26 બેઠકમાં ભાગ લઈ રહ્યા હતા. આવા વૈવિધ્યસભર અહેવાલો, વૈજ્ઞાનિક તપાસ અને ચર્ચાઓના સ્વરૂપમાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં આપણા સામૂહિક જ્ઞાનને સમૃદ્ધ જ બનાવશે. ટકાઉ વિકાસના માર્ગમાં યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની છે. તે અનિવાર્ય બની જાય છે કે યુનિવર્સિટીઓ એસડીજીની તૈયાર પેઢી બનાવવા માટે સમય અને સંસાધનો સમર્પિત કરે, જે ટકાઉ વિકાસ હાંસલ કરવાના મિશન પર કેન્દ્રિત હોય.

શૈક્ષણિક સંસ્થાઓ યુવાનોને માહિતગાર કરવામાં અને પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણ માટે જરૂરી પગલાઓ વિશે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ભારત પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષા કરવાની એક લાંબી પરંપરા ધરાવે છે. સંયુક્ત રાષ્ટ્ર- એસડીજીના લક્ષ્યો અને પ્રદૂષણ, વનસ્પતિઓ અને પ્રાણીસૃષ્ટિ તથા ઘટતા જતા કુદરતી સંસાધનો માટે કાર્બન ઉત્સર્જનના પડકારોનો સામનો કરવાના પોતાના ઉદ્દેશ્ય પર આવો અભ્યાસ હાથ ધરવો તે જેજીયુ માટે એક સિદ્ધિ છે.

આ પ્રસંગે બોલતા, ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ, પ્રોફેસર (ડૉ.) સી. રાજ કુમારે જણાવ્યું હતું કે, “સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ રિપોર્ટ 2021 એક હરિયાળો અને સામાજિક રીતે સભાન કેમ્પસ બનાવવા અને અમારી પ્રગતિનો પારદર્શક અને નિષ્પક્ષ દૃષ્ટિકોણ રાખવા માટે સંયુક્ત રાષ્ટ્ર એસડીજી સાથેના અમારા અમલમાં અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ વ્યાપક મૂલ્યાંકન અમારી ઊર્જા અને જળ વ્યવસ્થાપન પદ્ધતિઓથી લઇને સામુદાયિક જોડાણની પહેલ સુધીની અમારી પ્રક્રિયાઓ પર હાથ ધરવામાં આવ્યું હતું, અમે કોવિડ-19 મહામારીના પડકારોની સાથે એસડીજી સુધી પહોંચવાની તકો પણ રજૂ કરી છે, જ્યારે જેજીયુએ તેના કેમ્પસમાં એસડીજીનો અમલ કરીને તંદુરસ્ત અને સુરક્ષિત વાતાવરણ તરફ એક પગલું ભર્યું છે. યુએન-એસડીજીને અમલમાં મૂકવાનો પ્રયાસ કરીને, જેજીયુ્એ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને માર્ગ ચીંધ્યો છે કે કેવી રીતે ભવિષ્યવાદી, સામાજિક અને પર્યાવરણીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ જેજીયુએ શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના સ્વચ્છ કેમ્પસ રેન્કિંગમાં ટોચનું રેન્કિંગ મેળવીને પર્યાવરણના રક્ષણ માટેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. JGU પર SDG રિપોર્ટ 2021, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા એક નવું પરિમાણ બનાવવા માટે TERI, ટ્રસ્ટ લીગલ અને મજાર દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ પ્રયાસોનું પરિણામ છે. તે ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે અને યુનિવર્સિટીઓને જ્ઞાન સર્જન, સંશોધન, પ્રાયોગિક શિક્ષણ, નવીનતા અને યુવાનો સાથે વ્યાપક જોડાણને કેન્દ્રમાં લાવીને જળવાયુ પરિવર્તનના પડકારોનો સામનો કરવામાં મદદ કરે છે. અમે લક્ષ્યોને પૂરા કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ પ્રવૃત્તિઓને ક્રમશઃ હાથ ધરીને સંયુક્ત રાષ્ટ્ર-SDGના મહત્વને પ્રોત્સાહન આપવાની દિશામાં યોગ્ય પગલું ભર્યું છે. મને એ જણાવતા પણ આનંદ થાય છે કે તાજેતરમાં અમે ભારતીય ઉદ્યોગ સંઘના નેજા હેઠળ ઇન્ટરનેશનલ ગ્રીન બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નવા અધ્યાયની શરૂઆત કરી છે.”

ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીએ ગ્રીડમાં વધારાની વીજળીનું યોગદાન આપીને સૌર ઊર્જા ઉત્પાદનનું એક ટકાઉ મોડલ બનાવ્યું છે. યુનિવર્સિટીનો હેતુ શૂન્ય-શુદ્ધ ઉત્સર્જન નીતિઓ સ્થાપિત કરીને અને લાંબા ગાળાની સંસાધન કાર્યક્ષમતા તથા વ્યવસ્થાપન યોજનાઓ વિકસાવીને કેમ્પસમાં નવીનીકરણીય ઊર્જા ઉત્પાદનમાં રોકાણ કરવાનો છે. યુનિવર્સિટીનું લગભગ 55% કેમ્પસ હરિયાળું છે. યુનિવર્સિટીની આજુબાજુનો હરિયાળો વિસ્તાર પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોમાં મુખ્ય ભૂમિકા ભજવવા ઉપરાંત આ વિસ્તારમાં રજકણો અને વાયુયુક્ત પ્રદૂષકોની અસરોને રોકવામાં મદદ કરે છે. યુનિવર્સિટીએ એ સુનિશ્ચિત કરવા જિંદાલ સ્કૂલ ઑફ એન્વાયરમેન્ટ ઍન્ડ સસ્ટેનેબિલિટીની પણ સ્થાપના કરી છે કે તે જળવાયુ પરિવર્તન અને તેની અસરનો સામનો કરવા માટે નવાચાર અને યુવા નેતૃત્વ પેદા કરે. સમગ્ર યુનિવર્સિટીમાં આ મહત્વપૂર્ણ વિષય પર પૂરતી જાગૃતિ સુનિશ્ચિત કરવા માટે તે અન્ય શાળાઓમાં અંત:વિષય શિક્ષણ પણ પ્રદાન કરે છે.

સુધીર મિશ્રા, સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર, ટ્રસ્ટ લીગલ, એડવોકેટ્સ ઍન્ડ કન્સલ્ટન્ટ્સ, જેઓ એસડીઆરને શરૂ કરવા માટે મુખ્ય નૉલેજ ભાગીદાર હતા, તેમણે આ સ્વૈચ્છિક અહેવાલના પ્રકાશનને ભારતમાં જળવાયુ પરિવર્તન ચળવળના ઇતિહાસમાં એક નોંધપાત્ર ક્ષણ ગણાવી હતી. તેમના મતે ટકાઉપણા પર ભારતની એક ખાનગી યુનિવર્સિટીના આ એકલ સાહસિક પગલાથી ઐતિહાસિક પરિવર્તન થશે, કારણ કે ઘણા કેમ્પસ એવું બતાવવા માટે આશાના પ્રતીકો બનશે કે તેઓ કેવી રીતે પાણીનું સંરક્ષણ કરે છે, તેઓ કેવી રીતે કચરાનો નિકાલ કરે છે, તેઓ કેવી રીતે વૃક્ષોનું પાલન-પોષણ કરે છે, તેઓ કેવી રીતે કાર્બન ફૂટ પ્રિન્ટમાં ઘટાડો કરે છે અને તેઓ સ્થાનિક સમુદાયો સાથે કેવી રીતે જોડાય છે.

મિશ્રાએ જણાવ્યું હતું કે, “ઓ પી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી પર ટકાઉ વિકાસ અહેવાલ 2021 એ ભારતની નંબર વન ક્રમાંકિત ખાનગી યુનિવર્સિટી દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે રજૂ કરાયેલી એક અનન્ય પહેલ છે. અમને આ પહેલ પર કામ કરવામાં આનંદ થાય છે, કારણ કે યુનિવર્સિટીએ રિપોર્ટ તૈયાર કરવામાં સંપૂર્ણ બૌદ્ધિક સ્વાયત્તતા, કાર્યકારી સ્વતંત્રતા અને સંપાદકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે. ટેરી, ટ્રસ્ટ લીગલ અને મજાર ટીમોના સામૂહિક યોગદાને એસડીજી લક્ષ્યો અને અમલીકરણ સંબંધિત અન્ય બાબતોનો અમલ કરવા માટે જેજીયુની પ્રતિબદ્ધતાનું વ્યાપક મૂલ્યાંકન પ્રદાન કર્યું છે. આ અહેવાલ 100-પાનાનો એક વ્યાપક દસ્તાવેજ છે જે એસડીજીના દરેક મુખ્ય પાસાને અને જેજીયુના સંચાલન અને કામગીરી સાથેના તેના સંબંધની ઓળખ કરાવે છે. આ અહેવાલને બહાર પાડવાના પ્રસંગે જેજીયુના એસડીઆર 2021ના ​​લોકાર્પણ સમયે ભારતના શિક્ષણ પ્રધાન અને પર્યાવરણ પ્રધાન હાજર હતા, તેથી તેનું મહત્વ ઘણું વધી ગયું છે.