મુખ્યમંત્રી કાર્યાલયમાં ફેરફારઃ ડૉ. વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે નિયુક્ત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર મુખ્યમંત્રી કાર્યાલયમાં બે મહત્વપૂર્ણ વહીવટી બદલીઓ કરવામાં આવી છે. સીએમઓમાં બે મહત્વપૂર્ણ ફેરફારમાં 2005 બેચના આઈએએસ અધિકારી ડૉ. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે 2003 બેચના ઓફિસર અવંતિકા સિંહ ઔલખને બઢતી આપી એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીના  સચિવ તરીકે નિયુક્તિ પામેલા ડૉ. વિક્રાંત પાંડે અત્યાર સુધી નવી દિલ્હીમાં ગુજરાત સરકારના રેસિડેન્ટ કમિશનર તરીકે કામગારી કરતા હતા. જ્યારે હાલના સચિવ  અવંતિકા સિંહ હવે એડિશનલ પ્રિંસિપલ સેક્રેટરી તરીકે કાર્ય કરશે. આપને જણાવી દઈએ કે સીએમઓમાં ત્રણ આઈએએસ અધિકારીઓ હોય છે.

ડૉ. વિક્રાંત પાંડે હવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ત્વરિત નીતિ અમલ અને ફેડરલ લેવલના પ્રોજેક્ટ્સ માટે મુખ્ય ભૂમિકા નિભાવશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news