Big Breaking: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, ગુજસેલ એરપોર્ટ પર બની ઘટના
અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના મેધાણીનગરમાં એક ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગુજસેલ એરપોર્ટ પર આ દુર્ઘટના બનવા પામી છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. અહીંના મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક ગુજસેલ એરપોર્ટ નજીક આ ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.
મેધાણી રહેણાંક વિસ્તાર હોવાથી રહીશોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. પ્લેન ક્રેશની આ દુર્ધટનામાં પ્લેન આગની જ્વાળામાં લપેટાઇ ગયું હતુ અને તેમાંથી નીકળતા ધૂમાડાને દૂરથી જોવા મળી રહ્યાં છે.
તાજેતરમાં મળી રહેલી મીડિયા અપડેટ પ્રમાણે આ એર ઈન્ડિયાના બોઇંગ ડ્રીમલાઇનર 787 ફ્એલાઇટ એ-આઈ171એ ઉડાણ ભર્યા બાદ જ ક્રેશ થયું હતુ. આ વિમાનમાં 242 જેટલા પ્રવાસીઓ હોવાની માહિતી છે.
https://x.com/paryavarantoday/status/1933093455061787073