કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિદ્ધપુર ખાતે બાલાજી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં

સિદ્ધપુરઃ સિધ્ધપુરની જનતાની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન એવી “બાલાજી  હોસ્પિટલ”ના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના સંબોધનમાં પોતાના પ્રોત્સાહક શબ્દો સાથે બાલાજી  હોસ્પિટલની સમગ્ર ડોક્ટર ટીમને અભિનંદન સહ શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે શંભુભાઈ દેસાઇ, જસુભાઈ પટેલ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, વિષ્ણુભાઈ પટેલ એપીએમસિ ચેરમેન, અનિતાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ,  જયેશભાઈ પંડ્યા શહેર ભાજપ પ્રમુખ, દિલીપજી ઠાકોર (તા.પ.), રણજીતસિહ સોલંકી, ફલજીભાઇ ચૌધરી,  મનીષભાઈ આચાર્ય, રશ્મિનભાઈ દવે, બાલાજી હોસ્પિટલ પરિવારના સભ્યો અને ભાઈઓ-બહેનો  ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news