ગુજરાત બ્રહ્મસમાજે પરશુરામ જ્યંતિની વૃક્ષોનું વાવેતર કરી ઊજવી

સમગ્ર વિશ્વ સહીત ભારત જયારે કોરોનની મહામારી સામે લડે છે અને ઓક્સિજનની ઉણપ સર્જાઈ છે તે સંદર્ભે અખાત્રીજ અને ભગવાન વિષ્ણુ જીના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા પાટનગર ગાંધીનગરમાં સરગાસણ સહીત વિવિધ જગ્યાએ વૃક્ષ વાવીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

પાટનગરના વિવિધ વિસ્તારોમાં સંગઠન ના હોદ્દેદારો તથા ભૂદેવો દ્વારા પરશુરામજીની જ્યંતી નિમિત્તે વૃક્ષ વાવવામાં આવ્યા હતા તેમજ હોદ્દેદારઓ દ્વારા તેમનું જતન પણ કરવામાં આવશે . આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી , સલાહકાર કન્હૈયાલાલ પંડ્યા , જિલ્લા મહિલા પ્રમુખ અને વૉર્ડ ૮ ભાજપના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી , અશ્વિનભાઈ રાવલ, સહીત ના અગ્રણીઓ દ્વારા સરગાસણ સહીત પાટનગરના તમામ વિસ્તારોમાં વૃક્ષ વાવીને પરશુરામ જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.