નેપાળના પોખરામાં ૫.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકા

નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી.

એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાંબલંગ જિલ્લામાં આવેલા ભૂલભૂલેમાં નોંધવામાં આવ્યું હતું. સવારે ૦૫: ૪૨ કલાકે તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી હતી.