આસામના ગોલપારામાં ૫.૨ની તીવ્રતાના ભુકંપના ઝટકા

આસામના ગોલપારામાં ૮.૪૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયેલા છે. ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાવવામાં આવી છે. ઉત્તર બંગાળ, દાર્જિલિંગ, કુચ બિહારમાં ભૂકંપના આંચકો લાગ્યાં હતાં. નેશનલ સેન્ટર ફોર સિનોલોજી અનુસાર, ધરતીકંપનું કેન્દ્ર મેઘાલયના તુરામાં હતું. જો કે, ભૂકંપથી કોઈપણ પ્રકારના નુકશાનની સમાચાર બહાર આવ્યા નથી.

અગાઉ દિલ્હીમાં, હરિયાણાને પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. હરિયાણાના ઝજાજરમાં આ મહેસુસ થયુ હતું. ભૂકંપ તીવ્રતાએ રિચટર સ્કેલ પર ૩.૭ નોંધાયો. તેની ઊંડાઈ લગભગ ૫ કિલોમીટર હતી. ટ્‌વીટર પરના ઘણા લોકોએ ધરતીકંપના આંચકાને લઇ ટિ્‌વટ કર્યું કે તેઓ ભૂકંપ અનુભવ્યો છે. ગુડગાંવના એક યુઝરે લખ્યું હતુ કે મારો મજબૂત બેડ સંપૂર્ણપણે હલાવી દીધો, તે એક વાસ્તવિક ભૂકંપ હતો.